PNB E-Auction: પંજાબ નેશનલ બેંક(Punjab National Bank) ફરી એકવાર મિલ્કતોની હરાજી કરવા જઈ રહી છે. જો તમે પણ સસ્તું ઘર અથવા જમીન ખરીદવાની યોજના ધરાવો છો તો આ તમારા માટે સારી તક હોઈ શકે છે. PNB આ મહિનામાં અત્યાર સુધીમાં 3 વખત ઈ-ઓક્શન કરી ચૂક્યું છે. આજે એટલેકે 24 માર્ચ તમારા માટે સસ્તુ ઘર ખરીદવાની છેલ્લી તક છે. હરાજીમાં બેંકો એ મિલકતોની હરાજી કરે છે જે લોકોએ લાંબા સમયથી બેંક પાસેથી લોન લીધેલ છે અને કોઈ કારણસર તેઓ લોનની ચૂકવણી કરી શકતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લોન ચૂકવવામાં આનાકાની કરે છે.
બેંક વતી દેશવ્યાપી ઓનલાઈન મેગા ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. પંજાબ નેશનલ બેંકે જણાવ્યું કે આ હરાજીમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકાશે.
તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં બેંકે 9 માર્ચ, 15 માર્ચ, 17 માર્ચે પણ ઈ-ઓક્શન કર્યું હતું. હવે આજે એટલે કે 24 માર્ચે તમારી પાસે પ્રોપર્ટી ખરીદવાની બીજી તક છે. આ હરાજી સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે સરફેસ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવશે.
પંજાબ નેશનલ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે તમે PNB મેગા ઈ-ઓક્શનમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકો છો. તેમજ આ મેગા ઓક્શનમાં કોઈપણ ભાગ લઈ શકે છે.
પંજાબ નેશનલ બેંકની આ હરાજીમાં 13838 રહેણાંક મિલકતો, 2869 કોમર્શિયલ મિલકતો, 1493 ઔદ્યોગિક મિલકતો અને 107 કૃષિ મિલકતોની હરાજી કરવામાં આવી રહી છે.
આ મેગા હરાજી વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંક https://ibapi.in/ પર જઈ શકો છો. અહીં તમને આ હરાજી સંબંધિત તમામ માહિતી વિગતવાર મળશે.
બેંકો એ મિલકતોની હરાજી કરે છે જે લોકોએ લાંબા સમયથી બેંક પાસેથી લોન લીધેલ છે અને કોઈ કારણસર તેઓ લોનની ચૂકવણી કરી શકતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લોન ચૂકવવામાં આનાકાની કરે છે. આવા લોકોની જમીન કે મિલ્કત બેંક દ્વારા કબજે કરવામાં આવે છે. થોડા સમય પછી બેંકો આવી મિલકતની હરાજી કરે છે અને હરાજી કરાયેલી મિલકતમાંથી તેમના નાણાં વસૂલ કરે છે.