નિકાસ મોરચે સારા સમાચાર ! સપ્ટેમ્બર સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે – પિયુષ ગોયલ

બેન્કર્સને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું કે નિકાસકારો પ્રત્યે તેઓએ વધુ ઉદાર બનવાની જરૂર છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે.

નિકાસ મોરચે સારા સમાચાર ! સપ્ટેમ્બર સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે - પિયુષ ગોયલ
કોવિડ -19 મહામારીને કારણે નિકાસ પણ પ્રભાવિત થઈ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 6:03 PM

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર થઈ જવો જોઈએ. ચાલુ નાણાકીય વર્ષ માટે નિકાસનો લક્ષ્યાંક 400 અબજ ડોલર રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિકાસ વર્ગોને મદદ કરવા વિનિમય દરો (exchange rates) જેવા મુદ્દાઓ પર બેન્કરોએ “વધુ ઉદાર” બનવું જોઈએ.

તેમણે દંડાત્મક વ્યાજ દરના (penal interest rates) મુદ્દે સમાન ઉદાર અભિગમ અપનાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે કોવિડ -19 મહામારીને કારણે વિદેશી બજારોમાંથી ચૂકવણી પ્રભાવિત થઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અહીં એક્ઝિમ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગોયલે કહ્યું હતું કે, વિનિમય દર જેવા મુદ્દાઓ પર, મને લાગે છે કે બેંકોએ થોડી વધુ ઉદાર બનવાની જરૂર છે. બેંકો બે પૈસાનો લાભ આપી શકે છે.  ગોયલે સાન્તાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, (SEEPZ) મુંબઈ ખાતે નિકાસકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલય ખાસ આર્થિક ઝોન (SEZ) ના ધોરણોને સરળ બનાવવા અને એકમો માટે આ ઝોનમાંથી બહાર નીકળવાનું સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, મંત્રાલય હાલના સેઝને આંશિક રીતે ઓળખી માન્યતા રદ્દ કરવાની રીતો પર પણ વિચાર કરી રહ્યું છે જેથી જે વિસ્તારોમાં વધારે માંગ નથી તેમનો ઉપયોગ ઓદ્યોગિક અથવા અન્ય હેતુઓ માટે કરી શકાય છે. નિકાસકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર નિકાસકારો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર વિચાર કરી રહી છે.

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, વાણીજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય સાથે  800 ડોલર સુધીના કૃત્રિમ આભુષણો માટે ઈ – કોમર્સને કોઈ બંધન વગર મંજૂરી આપવાના અને જુની વસ્તુઓના અવમુલ્યન જેવા મુદ્દાઓ પર પણ  ચર્ચા કરી રહ્યુ છે.

આ પણ વાંચો :  Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">