AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Aadhaar Link : 4 દિવસમાં નિપટાવીલો આ કામ નહીંતર મોટી સમસ્યાનો સામનો કરવો પડશે

PAN Aadhaar Link : એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવકવેરા કાયદાની જોગવાઈઓ જણાવે છે કે તમામ વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. દરેક વ્યક્તિએ નવીનતમ ઘોષણાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારે ઉપર જણાવેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

PAN Aadhaar Link : 4 દિવસમાં નિપટાવીલો આ કામ નહીંતર મોટી સમસ્યાનો સામનો કરવો પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:42 PM
Share

PAN Aadhaar Link : ઘણા સમયથી સરકાર દ્વારા લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે PAN અને Aadhaar ને લિંક કરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં જો સરકારના આ નિર્ણય હેઠળ PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સત્તાવાર છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. આ માટે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

પાન કાર્ડ નિષ્ક્રિય થઈ  જશે

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ થવાથી અનલિંક PAN નિષ્ક્રિય થઈ જશે. જેમણે હજુ સુધી તેમના પાન કાર્ડને તેમના આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓએ છેલ્લી તારીખ નજીક હોવાથી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ 31મી માર્ચ સુધીમાં યોગ્ય રીતે પગલાં પૂર્ણ કરવા જરૂરી છે. દરેક વ્યક્તિએ લેટેસ્ટ ઘોષણાઓ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો :  Adani: મુન્દ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરી હેન્ડલ

PAN-આધાર લિંકકરવું જરૂરી

એ નોંધવું અગત્યનું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય, તો વ્યક્તિએ IT એક્ટ હેઠળ તમામ પરિણામોનો સામનો કરવો પડે છે. તેમને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી છેલ્લી તારીખ એટલે કે માર્ચ 31, 2023 ની અંદર બંને ID ને લિંક કરવું વધુ સારું રહેશે.

જો PAN ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો આ સમસ્યાઓનો સામનો કરવો પડશે

  •  તમે નિષ્ક્રિય PAN નો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકશો નહીં
  •  તમારા બાકી રિટર્ન પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
  • ખામીયુક્ત રિટર્નના કિસ્સામાં તમારી બાકી કાર્યવાહી પૂર્ણ થશે નહીં.
  •  ઊંચા દરમાંથી ટેક્સ કાપવામાં આવશે.

પાન કાર્ડને આધાર સાથે લિંક કરો

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવકવેરા કાયદાની જોગવાઈઓ જણાવે છે કે તમામ વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. દરેક વ્યક્તિએ નવીનતમ ઘોષણાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારે ઉપર જણાવેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">