સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે ઇલેક્ટ્રિક કાર ફરજિયાત બનવવા નીતિન ગડકરીએ સૂચન કર્યું

|

Feb 20, 2021 | 9:36 AM

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(NITIN GADKARI)એ શુક્રવારે મંત્રાલયો અને વિભાગોમાં તમામ અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો(ELECTRIC VEHICLE)ના ફરજીયાત ઉપયોગની હિમાયત કરી હતી.

સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે ઇલેક્ટ્રિક કાર ફરજિયાત બનવવા નીતિન ગડકરીએ સૂચન કર્યું
ELECTRIC CAR

Follow us on

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(NITIN GADKARI)એ શુક્રવારે મંત્રાલયો અને વિભાગોમાં તમામ અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો(ELECTRIC VEHICLE)ના ફરજીયાત ઉપયોગની હિમાયત કરી હતી. તેમણે એમ પણ સૂચવ્યું કે પરિવારોને રાંધણ ગેસ માટે સબસિડી આપવાને બદલે સરકારે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા સહાય આપવી જોઈએ.

ઇલેક્ટ્રિક રસોઈના ઉપકરણો પર સબસિડી આપવાનું સૂચન કરતા ગડકરીએ ‘ગો ઇલેક્ટ્રિક’ અભિયાન શરૂ કરવા પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું, “આપણે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો માટે સબસિડી કેમ નથી આપતા?” અમે રાંધણ ગેસ પર સબસિડી પહેલેથી જ આપી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે વીજળી સંચાલિત રસોઈની સિસ્ટમ સ્વચ્છ છે અને તેનાથી ગેસ માટેની આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.

આ અગાઉ, સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ચામડાની એકત્રીત સંસ્થાના ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે વધતા બળતણના ભાવને ધ્યાનમાં રાખીને, માર્ગ પરિવહન મંત્રાલયે લિથિયમ આયન અને હાઇડ્રોજન સેલ જેવા વૈકલ્પિક ઇંધણની સંભાવનાને શોધવા માટે પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ આયનો અને સ્ટીલ આયન બેટરી અંગે પણ ચર્ચા થઈ રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગડકરીએ સૂચન કર્યું હતું કે તમામ સરકારી અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોને ફરજિયાત બનાવવો જોઈએ. તેમણે વીજળી પ્રધાન આર.કે. સિંઘને તેમના વિભાગના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજિયાત બનાવવા તાકીદ કરી છે. પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે તેઓ તેમના વિભાગો માટે આ પગલું ભરશે. ગડકરીએ કહ્યું કે દિલ્હીમાં 10,000 ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી દર મહિને 30 કરોડની બચત થઈ શકે છે. આ પ્રસંગે સિંહે જાહેરાત કરી કે દિલ્હી-આગ્રા અને દિલ્હી-જયપુર વચ્ચે ‘ફ્યુઅલ સેલ’ બસ સેવા શરૂ કરવામાં આવશે.

Published On - 9:28 am, Sat, 20 February 21

Next Article