AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણામંત્રી નિર્મલા સીતારમણની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાણામંત્રીઓ સાથે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ બેઠકમાં સુધારાલક્ષી વ્યાપાર વાતાવરણ બનાવવા અને રોકાણ આકર્ષિત કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે, જેથી દેશના વિકાસને વેગ મળી શકે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાણામંત્રીઓ સાથે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Finance Minister Nirmala Sitharaman (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:38 PM
Share

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણા મંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સુધારાલક્ષી વ્યાપાર વાતાવરણ બનાવવા અને રોકાણ આકર્ષિત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે, જેથી દેશના વિકાસને વેગ મળી શકે. નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું કે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કરાડ પણ 15 નવેમ્બરે યોજાનારી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો, રાજ્યોના મુખ્ય સચિવો અને નાણા સચિવો પણ બેઠકમાં હાજરી આપશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠકમાં ચર્ચાનો વિષય રોકાણ વધારવા માટે અનુકૂળ ઈકોસિસ્ટમ બનાવવાનો રહેશે. આ સિવાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના પગલાં, સુધારા, રોકાણને પ્રોત્સાહન આપવા અને સુધારા આધારિત બિઝનેસ વાતાવરણની રચના અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ માટે બોલાવવામાં આવી બેઠક

આ બેઠક કોવિડ-19ની બે લહેરો પછી અર્થવ્યવસ્થામાં ઝડપી પુનરુદ્ધાર અને કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં વધારો કરવાના પ્રયાસો વચ્ચે બોલાવવામાં આવી છે.

અગાઉ, કેન્દ્રીય નાણાં સચિવ ટીવી સોમનાથને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ચર્ચાનું કેન્દ્ર રાજ્ય સ્તરના એવા મુદ્દાઓ, તકો અને પડકારો હશે, જેના દ્વારા આપણે ઉચ્ચ રોકાણ અને વૃદ્ધિ હાંસલ કરી શકીએ. સેક્રેટરીએ કહ્યું હતું કે સરકાર મૂડી ખર્ચ કરી રહી છે અને ખાનગી ક્ષેત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ મોટાપાયે વાસ્તવિક રોકાણમાં રૂપાંતરીત થયો નથી.  જો કે મૂડી ખર્ચ મોટાપાયે રોકાણની સંભાવના દર્શાવે છે.

કોવિડને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો હતો

છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ-19 મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 20.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં દેશમાં 64 અરબ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.

આ પણ વાંચો :  SBI Credit Card યુઝર્સ માટે માઠાં સમાચાર, 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, જાણો વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">