PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર, જાણો નવા રેટ

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર,  જાણો નવા રેટ
File Photo
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 7:58 AM

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.આજે 1 એપ્રિલ (1 એપ્રિલથી 30 જૂન, 2021) થી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે, વ્યાજ દર 7.1 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવામાં આવ્યો છે. તે આજે 1 એપ્રિલથી 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થશે.

આ ઉપરાંત તમામ બચત યોજનાઓ માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર માટેનો વ્યાજ દર 6.9 ટકાથી ઘટાડીને 6.2 ટકા કરાયો હતો. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટેનો વ્યાજ દર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરાયો છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ માટેનો વ્યાજ દર 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરાયો છે.

ત્રણ સ્તરમાં ટેક્સ છૂટ મળે છે Public Provident Fund (PPF) એ એક ઉત્તમ રોકાણ વિકલ્પ મનાય છે. તેની શરૂઆત 1968 માં થઈ હતી. તે છેલ્લા 53 વર્ષથી રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તે જ કર બચત યોજના છે અને EEE કેટેગરી હેઠળ આવે છે. આ એક લાંબી અવધિની રોકાણ યોજના છે જેમાં તમે દર વર્ષે રોકાણ કરીને ટેક્સમાં કપાત મેળવી શકો છો. જ્યારે તે મેચ્યોર થાય છે ત્યારે પાકતી રકમ અને વ્યાજની આવક બંને સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 7.1 ટકા હતો જે નાણાકીય વર્ષ 2021-22 માટે ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. તમે એક વર્ષમાં લઘુત્તમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના 15 વર્ષ જૂની છે. 5-5 વર્ષના બ્લોકમાં તે વધારી શકાય છે.

પીપીએફ ખાતા પર લોન અને આંશિક ઉપાડની સુવિધા પીપીએફ ખાતાધારકોને લોનની સુવિધા પણ મળે છે. આ સુવિધા ત્રીજા અને પાંચમા વર્ષે ઉપલબ્ધ છે. આ બીજા વર્ષમાં જમા કરાયેલ રકમના મહત્તમ 25 ટકા સુધી હોઈ શકે છે. જોકે આ માટેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો છે પરંતુ 6 વર્ષ પૂરા થયા પછી સાતમા વર્ષથી આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ફાળો આપનાર તેના ભંડોળમાં જમા કરેલી રકમના મહત્તમ 50 ટકા સુધી ઉપાડ કરી શકે છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">