મુંબઈમાં પ્રોપર્ટીની માગમાં થશે જોરદાર વધારો, કોવિડ-19 છતાં ગયા વર્ષે સારું રહ્યુ વેચાણ

દેશના મુખ્ય પ્રોપર્ટી માર્કેટ મુંબઈમાં માગ, પુરવઠા અને કિંમતના મોરચે અભૂતપૂર્વ તેજી આવે તેવી અપેક્ષા છે. અહીં કોવિડ-19 મહામારીના કારણે પ્રતિબંધો હોવા છતાં 2021 માં 38,000 એકમોનું વેચાણ થયું છે. UBS સિક્યોરિટીઝ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

મુંબઈમાં પ્રોપર્ટીની માગમાં થશે જોરદાર વધારો, કોવિડ-19 છતાં ગયા વર્ષે સારું રહ્યુ વેચાણ
Property demand in Mumbai is expected to rise (Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:34 PM

દેશના મુખ્ય પ્રોપર્ટી (Property) માર્કેટ મુંબઈમાં માગ (Demand), પુરવઠા (Supply) અને કિંમતના મોરચે અભૂતપૂર્વ તેજી આવે તેવી અપેક્ષા છે. અહીં કોવિડ -19 મહામારીના કારણે પ્રતિબંધો હોવા છતાં 2021 માં 38,000 એકમોનું વેચાણ થયું છે. UBS સિક્યોરિટીઝ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ મુજબ, મુંબઈની શહેરી સંસ્થા BMCએ 2021 માં બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે લગભગ 14,200 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે પાછલા વર્ષ કરતાં પાંચ ગણી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં મુંબઈ સૌથી વધુ નફાકારક પ્રોપર્ટી માર્કેટ બની શકે છે. યુબીએસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે નિયમનકારી પહેલોને કારણે માગ અને પુરવઠામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમના મતે મધ્યમ ગાળામાં મુંબઈમાં સપ્લાયમાં વધારો થશે.

રિયલ એસ્ટેટ કંપનીઓએ નવી યોજનાઓ રજૂ કરી

મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓએ મુંબઈ માટે તેમની યોજનાઓ વધુ ઝડપી બનાવી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત, ક્લિયરન્સ ફીમાં 50 ટકાની માફી, ઝૂંપડપટ્ટીના પુનર્વસન અને દરિયાકાંઠાના નિયમો સાથે પુનઃવિકાસ નીતિઓના ઉદારીકરણ જેવા નિયમનકારી પગલાં મધ્યમ ગાળામાં અહીં માગને વેગ આપશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે દેશના ટોપ સાત શહેરોમાં 2021માં રેસિડેન્શિયલ યુનિટના કુલ વેચાણમાં નવા પ્રોજેક્ટનો હિસ્સો લગભગ 34 ટકા રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ એનારોકે જણાવ્યું હતું કે જાણીતા ડેવલપર્સ તરફથી નવા સપ્લાય અને રોકાણકારોની માગમાં વધારો થવાને કારણે આવું થયું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એનારોકે ગુરુવારે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 2021માં ટોચના સાત શહેરોમાં 2.37 લાખ ઘરો વેચાયા હતા, જેમાંથી 34 ટકા નવા પ્રોજેક્ટના હતા. બાકીના 66 ટકા એકમો અગાઉ શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં હતા. સાત શહેરો જ્યાં કંપની વેચાણના આંકડાને ટ્રેક કરે છે તે છે દિલ્હી-NCR, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ.

2020માં આ સાત શહેરોમાં કુલ 1.38 લાખ હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, જેમાંથી 28 ટકા એ જ વર્ષમાં શરૂ થયેલા પ્રોજેક્ટના હતા. 2019માં વેચાયેલા કુલ 2.61 લાખ ઘરોમાં નવા પ્રોજેક્ટ્સનો હિસ્સો 26 ટકા હતો. એનારોકે કહ્યું, નવા પ્રોજેક્ટ્સમાં ઘરોની માગ ફરી આવવા લાગી છે, આ પહેલા લાંબા સમયથી માગ માત્ર તૈયાર એકમોની જ હતી.

આ પણ વાંચો :  NPS અને અટલ પેન્શન યોજનાના સબસ્ક્રાઈબરોમાં 23 ટકાનો વધારો અને સંપત્તિમાં 28 ટકાનો ઉછાળો, જાણો કેવી રીતે તમારી વૃદ્ધાવસ્થાને કરશો સુરક્ષિત

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">