મુકેશ અંબાણી બચાવી શકે છે જેટ એરવેઝ એરલાઈન્સને, લઈ શકે આ મોટું પગલું?
જેટ એરવેઝ માટે એક સારા સમાચાર આવ્યા છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં ભાગીદારી કરી શકે છે. મુકેશ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટસ મુજબ અંબાણી જેટમાં ભાગીદારી કરવા માટે ઈચ્છે છે. જેટ એરવેઝ એરલાઈન્સમાં લગભગ 22 હજાર કર્મચારીઓ નોકરી કરતા હતા. આ એરલાઈન્સના બંધ થવાથી […]
જેટ એરવેઝ માટે એક સારા સમાચાર આવ્યા છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં ભાગીદારી કરી શકે છે.
મુકેશ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટસ મુજબ અંબાણી જેટમાં ભાગીદારી કરવા માટે ઈચ્છે છે. જેટ એરવેઝ એરલાઈન્સમાં લગભગ 22 હજાર કર્મચારીઓ નોકરી કરતા હતા. આ એરલાઈન્સના બંધ થવાથી તમામ કર્મચારીઓની સામે રોજગારીની સમસ્યા ઉભી થઈ છે.
મુકેશ અંબાણી જેટ એરવેઝમાં ભાગીદારી ખરીદી શકે છે. જો તે જેટ એરવેઝ ખરીદશે તો જેટના 22 હજાર કર્મચારીઓની નોકરીઓ બચી શકશે. અંબાણી જેટમાં ભાગીદારી ઈતિહાદ એરવેઝ દ્વારા ખરીદી શકે છે. જેટ એરવેઝમાં ઈતિહાદની 24% ભાગીદારી છે અને મુકેશ અંબાણી ઈતિહાદ દ્વારા જેટમાં રોકાણ કરી શકે છે. રોકાણ પછી જેટ એરવેઝમાં ઈતિહાદની ભાગીદારી 49% થશે.
મુકેશ અંબાણી જેટ એરવેઝની સાથે એર ઈન્ડિયામાં પણ ભાગીદારી ખરીદી શકે છે. રિપોર્ટસ મુજબ દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને મુશ્કેલીથી બચાવવા માટે અંબાણી આ પગલું લઈ શકે છે. જેટ અને એર ઈન્ડિયા બંને એરલાઈન્સે ગયા વર્ષમાં ખુબ નુકસાન કર્યુ હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]