Muhurat Trading : દિવાળીના આ ખાસ સમયે તમને મળશે પૈસા કમાવાનો મોકો, જાણો વિગતવાર

|

Oct 28, 2021 | 7:55 AM

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે.

Muhurat Trading : દિવાળીના આ ખાસ સમયે તમને મળશે પૈસા કમાવાનો મોકો, જાણો વિગતવાર
Muhurat trading session 2021

Follow us on

શેરબજાર(સહારે Market) માટે દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બજાર બંધ હોય છે પરંતુ આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન 2021(Muhurat trading session 2021)નું આયોજન એક કલાક માટે કરવામાં આવે છે. આ સમય દરમિયાન(Diwali Muhurat Trading) બજારમાં માત્ર 1 કલાકનો વેપાર થાય છે. આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની પરંપરાને આગળ ધપાવે છે.

જો તમે પૈસા કમાવવા અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ દિવસે રોકાણ કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે 4 નવેમ્બર 2021 દિવાળીના દિવસે NSE અને BSE પર સાંજે 6:15 થી 7:15 સુધી ટ્રેડિંગ થશે. બંને એક્સચેન્જોના જણાવ્યા અનુસાર દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ સાંજે 6:00 થી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન ટ્રેડિંગ સેશન હશે. આ પછી સાંજે 6:15 થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગ થશે.

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાળી સાથે સંવત 2077ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગોમાં દિવાળી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. આ શુભ મુહૂર્તમાં શેરબજારના વેપારીઓ ખાસ શેરમાં વેપાર કરે છે તેથી તેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

જાણો આ દિવસે શા માટે થાય છે ટ્રેડિંગ?
મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે. દર વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ માટે એક નિશ્ચિત સમય હોય છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેરો ખરીદે છે.

નિષ્ણાતો શું કહે છે?
બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં વેપારીઓ ભારે રોકાણ કરે છે. પરંપરાગત રીતે પ્રથમ ઓર્ડર ખરીદીનો હોય છે. જો આપણે પાછલા વર્ષોમાં આ સમય દરમિયાન બજારની કામગીરી પર નજર નાખીએ, તો મોટા ભાગના પ્રસંગોએ શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે દાયરામાં જ રહ્યું છે. બીજી તરફ બજારમાં પણ થોડા સમય માટે તેજી જોવા મળે છે.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

આ પણ વાંચો : Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

Published On - 7:54 am, Thu, 28 October 21

Next Article