AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુધના ભાવમાં મોંઘવારીનો ઉભરો, મધર ડેરીએ દુધના ભાવમાં કર્યો પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, રવિવારથી ભાવ વધારો લાગુ

હવે મધર ડેરીનું દૂધ ખરીદવું પણ મોંઘુ થવા જઈ રહ્યું છે. અગાઉ અમૂલ અને પરાગ મિલ્કે તેમના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

દુધના ભાવમાં મોંઘવારીનો ઉભરો, મધર ડેરીએ દુધના ભાવમાં કર્યો પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, રવિવારથી ભાવ વધારો લાગુ
Mother Dairy (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:58 PM
Share

અમૂલ (Amul) બાદ હવે મધર ડેરીનું  (Mother Dairy) દૂધ ખરીદવું પણ મોંઘુ થશે. કંપની દિલ્હી-એનસીઆરમાં તેના દૂધની કિંમતમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવા જઈ રહી છે. વધેલા ભાવ રવિવારથી લાગુ થશે. દૂધના ભાવ વધવા પાછળનું કારણ કંપની દ્વારા ખરીદીની કિંમતમાં થયેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ અમૂલ અને પરાગ મિલ્કે તેમના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખરીદ કિંમતો (ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ), તેલની કિંમત અને પેકેજિંગ સામગ્રીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, મધર ડેરી દિલ્હી-NCRમાં તેના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવા જઈ રહી છે, જે 6 માર્ચ 2022થી લાગુ થશે.

નવી કિંમતો

રવિવારથી ફુલ ક્રીમ દૂધની કિંમત 59 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. શનિવારે તે 57 રૂપિયા પ્રતિ લિટર છે. ટોન્ડ દૂધનો ભાવ વધીને રૂ. 49 થયો છે, જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ વધીને રૂ. 43 પ્રતિ લિટર થયો છે. ગાયના દૂધની કિંમત પણ 49 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તે જ સમયે, બલ્ક વેન્ડેડ દૂધ (એટલે ​​​​કે ટોકન દૂધ) ની કિંમતો 44 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 46 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

દિલ્હી-NCR ઉપરાંત, કંપનીએ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પસંદગીના વિસ્તારોની બહારના સ્થળોએ તબક્કાવાર ભાવમાં ફેરફાર કરવામાં આવશે.

ભાવ વધારા પાછળ કંપની દ્વારા શું કારણ આપવામાં આવ્યું?

મધર ડેરી દેશભરના 100 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે તે ઇનપુટ્સની કિંમતમાં વધારો જોઈ રહી છે, જે અનેક ગણો વધી ગયો છે. જુલાઈ 2021 થી ખરીદ કિંમત (ખેડૂતને ચૂકવવાની રકમ) લગભગ 8 થી 9 ટકા વધી છે. અન્ય ખર્ચમાં પણ વધારો થયો છે.

મધર ડેરીએ જણાવ્યું હતું કે કૃષિ ભાવમાં વધારો માત્ર આંશિક રીતે ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે, જેમાં અસરકારક ફેરફાર માત્ર ચાર ટકા છે. કંપનીએ જણાવ્યું હતું કે આ કૃષિ ભાવમાં જોવા મળેલા વધારા અને એકંદર ખાદ્યપદાર્થ મોંઘવારી દર કરતાં નીચો છે, જેનાથી બંને હિસ્સેદારોના હિતોનું રક્ષણ થાય છે.

આ પણ વાંચો :  Share Market એ રોકાણકારોને રોવડાવ્યા ! છેલ્લા 12 સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">