MONEY9: રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જોઇએ. પહેલું કેપિટલ એપ્રિસિએશન એટલે કે તમારી પ્રોપર્ટીની કિંમત કઇ ઝડપથી વધશે. બીજું છે રેન્ટલ યીલ્ડ એટલે કે જો તમે તમારી પ્રોપર્ટીને ભાડે આપો છો તો તેનાથી કેટલી કમાણી થશે.

MONEY9: રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?
how profitable is to invest in real estate
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:53 PM

Money9: “સંકટ કેટલું પણ મોટું કેમ ન હોય, સાહસે મને એ જ શિખવાડ્યું છે કે સારુ રોકાણ (INVESTMENT) છેવટે નફો (PROFIT) જરૂર આપશે.” આ શબ્દો છે દુનિયાના જાણીતા બિઝનેસમેન કાર્લોસ સ્લિમના. તેમનું માનવું છે કે જો તમે ખરાબ સમયમાં પણ સમજદારીથી રોકાણ કરો તો ફાયદો જરૂર મળશે. દુનિયા આજે મોંઘવારીના સંકટમાં ફસાયેલી છે. શેર બજારની હાલત પતલી છે. આવામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે તેના વિશે આજે આપણે વાત કરીશું.

પ્રોપર્ટીમાં ખરીદી વખતે શું ધ્યાનમાં રાખવું

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. અહીં બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલું કેપિટલ એપ્રિસિએશન એટલે કે તમારી પ્રોપર્ટીની કિંમત કઈ સ્પીડથી વધશે. બીજું છે રેન્ટલ યીલ્ડ એટલે કે જો તમે તમારી પ્રોપર્ટીને ભાડે આપો છો તો તેનાથી કેટલી કમાણી થશે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

દેશભરમાં જમીનોની કિંમત વધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર 2019થી અત્યાર સુધી કિંમતોમાં 30થી 40 ટકાનો ઉછાળો જોવામાં આવ્યો છે. કારણ કે પૈસાની તંગી કે NCLTમાં ફસાયેલી કંપનીઓની જમીનો મોટા ડેવલપર ખરીદી ચૂકયા છે. હવે જમીનો સીધા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહી છે. જેમની જમીન ચોખ્ખી છે કે ટાઇટલ ક્લિયર છે તેવા ખેડૂતો વધારે પૈસાની ડિમાંડ કરી રહ્યાં છે. આ ઉપરાંત, લોન પર સસ્તા વ્યાજ, ડિમાન્ડ વધવા, સેલેરીમાં વધારો અને પોતાનું ઘર લેવાની ઈચ્છાના કારણે મોટા શહેરોમાં રેસિડેન્સિયલ પ્લોટની કિંમતો વધી છે. મકાનોની કિંમતોમાં બિલ્ડર પહેલેથી જ 10 ટકાનો વધારો કરી ચૂક્યા છે.

રિયલ એસ્ટેટ ફર્મ મેજિક બ્રિક્સના રિપોર્ટ અનુસાર માર્ચ 2022માં સમાપ્ત ત્રિમાસિકમાં મકાનોના ભાડામાં ત્રિમાસિક આધારે 4 ટકાની વૃદ્ધિ થઈ. ઓફિસથી કામ કરવાની વ્યવસ્થા ફરીથી શરૂ થતાં રેન્ટલ હાઉસિંગ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં ભાડાના મકાનો માટે સર્ચમાં 15.8 ટકા જ્યારે ભાડાના ઘરોના સપ્લાયમાં 30.7 ટકાની તેજી આવી છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?

વેલ્થ મેનેજમેન્ટ ફર્મ Fincartના ફાઉન્ડર અને સીઈઓ તનવીર આલમ જણાવે છે કે રોકાણ કરતાં પહેલાં તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. રહેવા માટે ઘર ખરીદવું એ બીજી વાત છે પરંતુ જો રિટર્નના હેતુથી ઈન્વેસ્ટ કરી રહ્યાં છો તો તે વધારે ફાયદાકારક નહીં રહે. લોન્ગ ટર્મમાં રિયલ એસ્ટેટમાં એવરેજ 8 ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે સ્ટૉક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 12 ટકા જેટલું રહ્યું છે.

રિયલ એસ્ટેટમાં રેન્ટલ યીલ્ડ 1 થી 3 ટકા સુધી મળે છે. ફાઈનાન્સિયલ એસેટમાં ઘણી લિક્વિડિટી મળે છે, જ્યારે રિયલ એસ્ટેટમાં આવું નથી. પૈસાની જરૂરિયાત પડે ત્યારે તમે તરત પ્રોપર્ટી નથી વેચી શકતા.

કઇ જગ્યાઓ પર પ્રૉપર્ટીમાં રોકાણ કરવું યોગ્ય?

આલમ જણાવે છે કે જમીન ખરીદવાનું ફાયદાકારક હોઈ શકે છે. જો કે લોંગ ટર્મના દ્રષ્ટિકોણથી ઇન્વેસ્ટ કરો. જે શહેરોમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવા લોકો રહેવા આવી રહ્યા છે, ત્યાં જમીન ખરીદવી જોઈએ. આમ કરવાથી પૈસા બનાવી શકાય છે.

ઉદાહરણ તરીકે, હાલ નોઈડાને અડીને જેવરમાં લોકો જમીન ખરીદી રહ્યાં છે કારણ કે એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં લોકો રહેવા આવશે. જો શહેરનો વિકાસ થઇ રહ્યો છે અને તમને લાગે છે કે અહીં પૈસા ગ્રો કરશે તો યોગ્ય સમયે ઇન્વેસ્ટ કરી શકો છો.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">