નિવૃત્તિ બાદ આર્થિક સમસ્યાઓ પીછો ન કરે તે માટે સરકરે વાર્ષિક ૩૬ હજાર રૂપિયા સુધીનો લાભ આપતી પેંશન યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની વય સુધી લઘુત્તમ માત્ર માસિક ૫૫ રૂપિયા જમા કરાવી ઘડપણમાં મહિને ૩ હજાર સુધીની રકમ મેળવી શકાય છે.
શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે બચતની પહેલી પસંદગી બનતી જાય છે જેમાં ૪૫ લાખ લોકો જોડાઈ ચુક્યા છે.
નોકરી અથવા વેપારની ૧૫ હજાર રૂપિયાથી ઓછી કમાણીહોય તે લોકો શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના સાથે જોડાઈ શકે છે. ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વયના લોકો માટે લાગુ યોજનામાં ૧૮ વર્ષે રોજની બે રૂપિયા કરતા પણ ઓછી રકમનું રોકાણ ઘડપણમાં સહારો બને તેવી યોજના શ્રમ અને રોજગાર મંત્રાલયે લાગુ પાડી છે. ઉંમર જેમ જેમ વધી જાય તેમતેમ મન્થલી પ્રીમિયમમાં નજીવો વધારો થાય છે. તમામે યોજના માટે ૬૦ વર્ષ સુધી પરમિયમ ભરવાનું રહે છે. ૧૮ વર્ષનું ઉમરના વ્યક્તિએ ૫૫ રૂપિયા ,29 વર્ષની ઉંમરે મહિને 100 રૂપિયા, 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયા ફાળવવા પડશે.
શ્રમયોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો, દૈનિક વેતનદારો અને માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી આવક વાળા લોકો જોડાઈ શકે છે. આ યોજનામાં ખાતું ખોલવા સીએસસી કેન્દ્રની મદદ લઇ શકાય છે.
Published On - 7:30 pm, Tue, 22 September 20