AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય લેવાય તેવી શક્યતા

7 જૂનના રોજ આવકવેરા વિભાગે ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે એક નવું કર ઇ-ફાઇલિંગ પોર્ટલ રજૂ કર્યું હતું. પ્રિ - ફિલ્ડ આવકવેરા રિટર્ન ફોર્મથી લઈને ઝડપી રિફંડ સુધી-નવા પોર્ટલમાં "કરદાતાઓને આધુનિક અને સીમલેસ અનુભવ" પ્રદાન કરવા માટે ઘણી નવી સુવિધાઓ છે. જો કે તેની શરૂઆતથી જ ઘણી તકનીકી સમસ્યાઓ છે.

ITR  : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય  લેવાય તેવી શક્યતા
Income Tax Department
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:20 PM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) નાણાંકીય વર્ષ 2020-21 (AY 2021-22) માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની સમયમર્યાદા લંબાવે તેવી શક્યતા છે. નાણાકીય વર્ષ FY21 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. નવી આવકવેરા વેબસાઇટ www.incometax.gov.in મારફતે વાર્ષિક રિટર્ન ફાઇલ કરતી વખતે આવકવેરાદાતાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે નવા ઈન્કમ ટેક્સ પોર્ટલનો ઉપયોગ કરતી વખતે યુઝર્સ તેમની મુશ્કેલીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યક્ત કરી હતી

7 જૂનના રોજ આવકવેરા વિભાગે ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે એક નવું કર ઇ-ફાઇલિંગ પોર્ટલ રજૂ કર્યું હતું. પ્રિ – ફિલ્ડ આવકવેરા રિટર્ન ફોર્મથી લઈને ઝડપી રિફંડ સુધી-નવા પોર્ટલમાં “કરદાતાઓને આધુનિક અને સીમલેસ અનુભવ” પ્રદાન કરવા માટે ઘણી નવી સુવિધાઓ છે. જો કે તેની શરૂઆતથી જ ઘણી તકનીકી સમસ્યાઓ છે. કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સને નવા પોર્ટલ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

“જ્યારેથી પોર્ટલને સુધારવામાં આવ્યું છે ત્યાં ઘણી બધી તકનીકી ખામીઓ છે અને મોટાભાગના કરદાતાઓ રિટર્ન અને ફોર્મ દાખલ કરી શકતા નથી અથવા નોંધપાત્ર સમય વિલંબ પછી જ ફાઇલિંગ કરી શકે છે જેના કારણે દેશભરના કરદાતાઓ અને કરવેરા વ્યાવસાયિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોર્ટલમાંથી જનરેટ થયેલા કેટલાક અહેવાલો પણ ભૂલભરેલા છે. તેમ જાણીતા ટેક્સ નિષ્ણાંત વિવેક જલાને કહ્યું હતું.

કરદાતાઓને પડતી તકલીફોનું વર્ણન કરતા જલાને જણાવ્યું હતું કે, “ઉદાહરણ તરીકે ITR ફાઇલ કરતા પોર્ટલ પરથી આવકવેરા રિટર્નની સ્વીકૃતિ તેના પર થોડા દિવસો સુધી વોટર માર્ક હતું જે દર્શાવે છે કે ITR હજુ ફાઇલ કરવામાં આવી નથી. અન્ય એક મુદ્દો એ છે કે ટેક્સ છૂટ મેળવવા માટે આવકવેરા કાયદાની 12A હેઠળ પુન-નોંધણી માટે દેશભરના ટ્રસ્ટો દ્વારા દાખલ કરાયેલ ફોર્મ 10A જરૂરી છે. એક દાખલો એ છે કે જ્યારે એક જ મુલ્યાંકનકર્તા માટે એક વખત એ સ્વીકારી લેવાનું બટન હતું કે અગાઉ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે તે ફોર્મ 10A માં સક્રિય હતું.

“શરૂઆતમાં એવી અપેક્ષા હતી કે તકનીકી ખામીઓ થોડા અઠવાડિયામાં થઈ જશે. પોર્ટલમાં ઘણો સુધારો થયો હોવા છતાં, થોડા મુદ્દાઓ હજુ પણ સતત સતાવે છે. આવકવેરા રિટર્ન કમ્પાઇલ કરવામાં અને તેને સબમિટ કરવામાં કેટલો સમય લાગ્યો તે મુખ્ય મુદ્દો છે. આ ટેક્સ કન્સલ્ટન્ટ્સના મેન-અવર્સમાં વધારો કરે છે. ઉપરાંત, લોકોમાં એકંદરે નકારાત્મક દ્રષ્ટિને કારણે, ઘણા લોકો ITR ફાઇલ કરવાનું મુલતવી રાખી રહ્યા છે.

કરદાતાઓ અને કર સલાહકારોના ભાગરૂપે નિયત તારીખના વિસ્તરણની અપેક્ષા રાખવી ખૂબ જ સ્વાભાવિક છે. આવા વિસ્તરણની વહેલી જાહેરાત કરદાતાઓને ચિંતા દૂર કરવામાં મદદ કરશે, એમ ટેક્સબડી ડોટ કોમના સ્થાપક સુજીત બાંગરે જણાવ્યું હતું.

આ પણ વાંચો :  Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો :  શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">