ITR Filing: તમારી કમાણી કરપાત્ર ન હોવા છતાં INCOME TAX RETURN ભરવું જોઇએ, જાણો તેના ફાયદા

|

Aug 23, 2021 | 9:52 AM

આપણે બધા જાણીએ છીએ કે 60 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી ઓછા વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા રૂ 3 લાખ જ્યારે સુપર સિનિયર સિટિઝન્સ એટલે કે 80 વર્ષથી ઉપરની મર્યાદા રૂ 5 લાખ છે. જો તમારો પગાર આવકવેરાની મર્યાદા કરતા ઓછો હોય તો પણ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ કારણ કે તેના ઘણા ફાયદા છે.

સમાચાર સાંભળો
ITR Filing: તમારી કમાણી કરપાત્ર ન હોવા છતાં  INCOME TAX RETURN ભરવું જોઇએ, જાણો તેના ફાયદા
SYMBOLIC IMAGE

Follow us on

નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. 60 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ રૂ 2.5 લાખ સુધીની વાર્ષિક કમાણી આવકવેરામાંથી બાદ મેળવી શકે છે. જે વ્યક્તિની કુલ આવક કર મુક્તિની મર્યાદાને વટાવી જાય છે તેમણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું પડે છે.

આપણે બધા જાણીએ છીએ કે 60 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી ઓછા વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા રૂ 3 લાખ જ્યારે સુપર સિનિયર સિટિઝન્સ એટલે કે 80 વર્ષથી ઉપરની મર્યાદા રૂ 5 લાખ છે. જો તમારો પગાર આવકવેરાની મર્યાદા કરતા ઓછો હોય તો પણ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ કારણ કે તેના ઘણા ફાયદા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

1. લોનની યોગ્યતા નક્કી થાય છે
જો તમે લોન લેવા જઇ રહ્યા છો તો બેંક તમારી પાત્રતા તપાસે છે જે આવક પર આધારિત છે. બેંક તમને કેટલી લોન આપશે તે તમે કેટલી ઇન્કમ તમારા રિટર્નમાં બતાવી છે , આ બાબત ઉપર લોનની રકમ અને યોગ્યતા નિર્ભર કરે છે. હકીકતમાં ITR એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમામ બેન્કો લોનની સરળ પ્રક્રિયા માટે કરે છે.

લોન પ્રોસેસિંગ દરમિયાન બેંકો સામાન્ય રીતે તેમના ગ્રાહકો પાસેથી 3 ITR માંગે છે. તેથી જો તમે હોમ લોન ,કાર લોન અથવા પર્સનલ લોન સાથે ઘર ખરીદવા માંગતા હો તો તમારે ITR ફાઇલ કરવું આવશ્યક છે કારણ કે તે લોન મેળવવાનું સરળ બનાવે છે.

 

 

2. ટેક્સ રિફંડ માટે જરૂરી
જો તમે ITR ફાઇલ કરો છો, તો તમે ટર્મ ડિપોઝિટ જેવી બચત યોજનાઓ પર મળતા વ્યાજ પર ટેક્સ બચાવી શકો છો. ડિવિડન્ડની આવક પર પણ ટેક્સ બચાવી શકાય છે. તમે ITR રિફંડ દ્વારા ટેક્સનો ક્લેમ કરી શકો છો, જો કુલ સ્રોતોની કમાણીમાંથી કુલ આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમે કાપેલા TDS નો દાવો કરી શકો છો.

 

 

3. આવક પુરાવા અને સરનામાં માટે માન્ય દસ્તાવેજ
આવકવેરા આકારણી ઓર્ડરનો સરનામાંના માન્ય પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવા માટે પણ થઈ શકે છે. કંપની વતી કર્મચારીઓને ફોર્મ -16 આપવામાં આવે છે. જે તેની આવકનો પુરાવો છે. ITR ફાઇલિંગ દસ્તાવેજ સ્વ-રોજગાર અથવા ફ્રીલાન્સર્સ માટે માન્ય આવક પુરાવા તરીકે પણ કામ કરે છે.

 

 

4. નુકશાનનો દાવો કરી શકે છે
કરદાતાએ ખોટનો દાવો કરવા માટે ચોક્કસ તારીખની અંદર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ નુકસાન મૂડી લાભ, બિઝનેસ અથવા પ્રોફેશનના રૂપમાં હોઈ શકે છે. જે લોકો સંબંધિત આકારણી વર્ષમાં ITR ફાઇલ કરે છે. આવકવેરાના નિયમો ફક્ત તે જ લોકોને મૂડી લાભ સામે નુકસાન આગળ ધપાવવાની મંજૂરી આપે છે.

 

 

5. વિઝા પ્રક્રિયા માટે પણ જરૂરી દસ્તાવેજો
જો તમે વિદેશ જઈ રહ્યા છો, તો મોટાભાગના દેશો ITR ની માંગ કરે છે. આ બતાવે છે કે વ્યક્તિ કર સુસંગત નાગરિક છે. આ વિઝા પ્રોસેસિંગ અધિકારીઓને તમારી વર્તમાન નાણાકીય સ્થિતિ અને આવક વિશે સ્પષ્ટ માહિતી આપે છે. આ તમારા માટે વિઝા મેળવવાનું સરળ બનાવે છે.

Published On - 9:41 am, Mon, 23 August 21

Next Article