રોકાણકારોને ચાંદી જ ચાંદી, 30 મિનિટમાં જ કમાયા 3.29 લાખ કરોડ, આ છે ચાર મહત્વના કારણો

નાણાકીય વર્ષના અંતિમ દિવસે, શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 750 પોઈન્ટ સુધી ઉચકાયો હતો. રોકાણકારોને માત્ર અડધા કલાકમાં 3.29 લાખ કરોડ રૂપિયાનો નફો થયો.

રોકાણકારોને ચાંદી જ ચાંદી, 30 મિનિટમાં જ કમાયા 3.29 લાખ કરોડ, આ છે ચાર મહત્વના કારણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 12:53 PM

31 માર્ચ માત્ર અઠવાડિયાનો કે મહિનાનો જ છેલ્લો દિવસ નથી પણ નાણાકીય વર્ષ 2022-23નો છેલ્લો બિઝનેસ ડે પણ છે. જે શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ સારો લાગી રહ્યો છે. માર્કેટ ઓપન થયાના અડધા કલાકમાં સેન્સેક્સ 750 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો અને રોકાણકારોને રૂ. 3.29 લાખ કરોડનો નફો થયો હતો. જો કે આ તેજી માટે ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટું કારણ રિલાયન્સનો એક નિર્ણય છે. જેના કારણે શેરબજારમાં તેજીનો પવન ફુંકાયો છે. રિલાયન્સે Jio ફાયનાન્સિયલ સર્વિસનું નક્કી કર્યું છે. બીજી તરફ વૈશ્વિક બેંકિંગ કટોકટી હવે નરમ પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. માર્કેટ ડિસ્કાઉન્ટને કારણે વિદેશી રોકાણકારોએ પણ ખરીદી કરી છે. ચાલો તમને તે મહત્વના કારણો વિશે વિગતવાર જણાવીએ જેના કારણે બજારમાં આજે તેજી આવી છે.

વૈશ્વિક બજારમાં તેજી

વિશ્વભરમાં બેન્કિંગ સેક્ટરમાં સંકટ ઘટ્યું છે. જેના કારણે વિદેશી બજારોમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ટેક સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. ડાઉ જોન્સમાં 0.40 ટકા અને S&Pમાં 0.60 ટકાનો વધારો જોવા મળ્યો છે. નાસ્ડેક 0.70 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ બેન્કિંગ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે. જાપાનના બજારોમાં 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હોંગકોંગના બજારોમાં 1.5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી

વિદેશી રોકાણકારો તરફથી સારી ખરીદી જોવા મળી રહી છે. ડેટા અનુસાર, FIIએ રૂ. 1245 કરોડ અને DIIએ રૂ. 823 કરોડનું રોકાણ કર્યું હતું. નિષ્ણાંતોના મતે શેરબજાર હાલમાં ખૂબ જ આર્થિક થઈ રહ્યું છે. જેના કારણે વિદેશી રોકાણકારો નિફ્ટી અને સેન્સેક્સમાં રોકાણ કરી રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રિલાયન્સના શેરમાં વધારો

શેરબજારમાં ઉછાળાનું બીજું એક મોટું કારણ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલ તેજી છે. આજે કંપનીના શેરના ભાવમાં સાડા ત્રણ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે રૂ. 2314.05 પર ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સના શેર એટલા માટે આવ્યા છે, કારણ કે મુકેશ અંબાણીએ 2 મેના રોજ શેરધારકોની મીટિંગ બોલાવી છે, જેમાં રિલાયન્સ તરફથી Jio ફાયનાન્સિયલ સર્વિસની જાહેરાત કરવામાં આવશે. Jio Financial Services ગ્રાહક અને વેપારી ધિરાણ વ્યવસાયનું આયોજન કરી રહી છે.

ડોલર સામે રૂપિયો સુધરે છે

બીજી તરફ ડોલર સામે રૂપિયામાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. વિદેશી ભંડોળના પ્રવાહ અને ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાને કારણે રૂપિયો 24 પૈસાના વધારા સાથે 82.10 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય ડૉલર ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તે 102 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">