નાના રોકાણકારો માટે રાહતના સમાચાર, પ્રથમ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી, જાણો શું છે હાલના દર

|

Mar 31, 2022 | 11:01 PM

નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. વ્યાજમાં કોઈ ફેરફાર કર્યા વિના, નાની બચત યોજનાઓ બેંક FD કરતાં વધુ સારું વળતર આપે છે.

નાના રોકાણકારો માટે રાહતના સમાચાર, પ્રથમ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી, જાણો શું છે હાલના દર
No change in the rates of small savings schemes

Follow us on

વધતી જતી મોંઘવારીને (Inflation) જોતા સરકારે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમાં NSC, PPF વગેરેનો સમાવેશ થાય છે, સરકારે ગુરુવારે માહિતી આપી હતી. સરકારના જણાવ્યા અનુસાર ફુગાવાના વધારાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા છે. 2020-21ના પ્રથમ ક્વાર્ટરથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારના નિર્ણય પછી, શુક્રવારથી શરૂ થતા ત્રિમાસિક ગાળામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1 ટકા અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકાનો વ્યાજ દર ચાલુ રહેશે.

બચત પર વળતર સ્થિર રહેશે

આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશમાં સૂર્યમુખી તેલના પુરવઠામાં 25% ઘટાડો થવાનો અંદાજ

Next Article