AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market: આજે નાના અને મધ્યમ રોકાણકારો ધોવાયા, એક જ દિવસમાં ₹5.69 લાખ કરોડનું નુકસાન

Share Market Update:ભારતીય શેરબજારો 12 સપ્ટેમ્બર, મંગળવારે ભારે વધઘટ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. પરંતુ મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 2.96 ટકા ઘટીને બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 4.02 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને લગભગ 5.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Share Market: આજે નાના અને મધ્યમ રોકાણકારો ધોવાયા, એક જ દિવસમાં ₹5.69 લાખ કરોડનું નુકસાન
Sensex
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 4:33 PM
Share

ભારતીય શેરબજારો 12 સપ્ટેમ્બર, મંગળવારે ભારે વધઘટ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. પરંતુ મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 2.96 ટકા ઘટીને બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 4.02 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને લગભગ 5.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આઈટી શેર્સ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. ટેલિકોમ્યુનિકેશન્સ, યુટિલિટી, પાવર, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને સર્વિસના શેરના સૂચકાંકો 3 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે.

આ પણ વાંચો : Share Market: શેરબજારમાં નોંધાયો નવો રેકોર્ડ, રોકાણકારોએ 6 કલાકમાં 3.31 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી

કારોબારના અંતે 30 શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઈન્ડેક્સ સેન્સેક્સ 94.05 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 67,221.13 પર બંધ થયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 50 શેરો વાળા સૂચકાંક નિફ્ટી 3.15 અંક અથવા 0.016% ના ઘટાડા સાથે 19,993.20 ના સ્તર પર બંધ થયા છે.

રોકાણકારોને રૂ. 5.53 લાખ કરોડનું નુકસાન થયું છે

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 12 સપ્ટેમ્બરે ઘટીને રૂ. 318.73 લાખ કરોડ થયું હતું, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, સપ્ટેમ્બર 11ના રોજ રૂ. 324.26 લાખ કરોડ હતું. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 5.53 લાખ કરોડનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 5.53 લાખ કરોડનો ઘટાડો થયો છે.

સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેરો

સેન્સેક્સના 30માંથી 15 શેરો આજે તેજી સાથે બંધ થયા હતા. આમાં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેરમાં સૌથી વધુ 2.75%નો વધારો થયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો (L&T), ઇન્ફોસીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ICICI બેન્કના શેર આજે ઉછળ્યા હતા અને 1.10% થી 1.83% સુધીના વધારા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સના માત્ર 2 શેરો ઘટ્યા હતા

જ્યારે સેન્સેક્સના બાકીના 15 શેર આજે લાલ નિશાનમાં બંધ થયા હતા. તેમાંથી એનટીપીસીના શેર 3.48 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. આ સિવાય પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) અને ટાટા સ્ટીલના શેરમાં 1.56 ટકાથી 3.18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

2,939 શેર ઘટ્યા હતા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે શેરોની સંખ્યા લાભની સરખામણીમાં ઘટાડા સાથે બંધ થઈ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,805 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 742 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 2,939 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 124 શેર કોઈ પણ હલચલ વગર ફ્લેટ બંધ થયા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 263 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 20 શેર તેમની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">