Corona Facts: કોરોના બાદ વધી ભારતીય મસાલાઓની માગ, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો
વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન ભારતીય મસાલાની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ઘણી તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય મસાલામાં તબીબી ગુણધર્મો છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ દિવાકર નાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ -19 (Covid 19 Pandemic)મહામારી ફાટી નીકળ્યા બાદ મસાલાની માંગ વધી છે અને ખાસ કરીને ભારતીય મસાલાઓ (Indian Spices)ના ઔષધીય ગુણધર્મો પર અનેક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. મિશ્રા મસાલા બોર્ડ દ્વારા ભારતીય દુતાવાસ, અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાતના સહયોગથી આયોજિત એક આંતરરાષ્ટ્રીય ખરીદદાર-વિક્રેતા બેઠક (IBSM) માં મુખ્ય વક્તવ્ય આપી રહ્યા હતા. જેમાં મસાલાની નિકાસ (Spice Export) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ વૈશ્વિક ઓનલાઈન ઈવેન્ટ (International Online Event) બુધવારે યોજાઈ હતી અને તેનું ઉદ્ઘાટન ભારતીય દૂતાવાસ, અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ઉપપ્રમુખ, આઈએફએસ સંદીપ કુમાર બયાપૂએ કર્યું હતું. મિશ્રાએ કહ્યું, કોવિડ પછી, મસાલાની માંગ વધુ બની છે અને તેથી ખાસ કરીને ભારતીય મસાલાના ઔષધીય ગુણધર્મો પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે.
ભારત અને સંયુક્ત આરબ અમીરાત પ્રાચીન સમયથી વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વહેંચતા આવ્યા છે અને આવા કાર્યક્રમો ખેડૂતોને જંતુનાશકો અને એન્ટિબાયોટિક્સથી મુક્ત સારી કૃષિ પદ્ધતિઓનો સમાવેશ કરવા વિશે માહિતી પ્રદાન કરશે અને જાગૃતિ ફેલાવશે.
250 ભારતીય નિકાસકારોને સાથે લાવવાનો પ્રયાસ
બયાપુએ મસાલાની નિકાસ વધારવા માટે મસાલા બોર્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે યુએઈ એક ગંતવ્ય તરીકે યુરોપીયન અને આફ્રિકન બજારોમાં પકડ કાયમ કરવા માટે મજબૂત લોજિસ્ટિકલ તક પૂરી પાડે છે. આ ઈવેન્ટમાં 250થી વધુ ભારતીય નિકાસકારો અને મધ્ય પૂર્વના 40 સંભવિત ખરીદદારો ભેગા થયા હતા.
ભારતીય મસાલા દુબઈથી વિશ્વના અન્ય ભાગોમાં જાય છે
આ કાર્યક્રમમાં વિશેષ સંબોધન દરમિયાન, સ્પાઈસિસ બોર્ડના સચિવ ડી સાથિયાને જણાવ્યું હતું કે ભારતનું મસાલા ક્ષેત્ર દુબઈને માત્ર મસાલાના મુખ્ય ગ્રાહક તરીકે જ નહીં, પરંતુ પુનઃ નિકાસ હબ તરીકે પણ જુએ છે જ્યાંથી ભારતીય મસાલાની વિશ્વના વિવિધ ભાગોમાં નિકાસ કરવામાં આવે છે.
UAE ભારતમાંથી મોટા પાયે મસાલાની આયાત કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડ આ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ ખરીદનાર-વિક્રેતા બેઠક (બીએસએમ) ની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે કે જેથી દેશમાંથી મસાલાના સોર્સિંગ અને સપ્લાયમાં કોઈ અંતર કે અડચણ ન રહે. UAE એ મસાલા માટે ભારતનું ચોથું સૌથી મોટું નિકાસ સ્થળ છે. સ્પાઇસીસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21 દરમિયાન ભારતે યુએઇને 22 કરોડ ડોલરની કિંમતના 1,15,400 ટન મસાલાની નિકાસ કરી હતી.
આ પણ વાંચો : No Work From Home: શું જલ્દી જ ખતમ થઈ જશે વર્ક ફ્રોમ હોમ ? જાણો શું છે કંપનીઓની યોજના