AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, GDP માં પણ થશે સારો સુધાર

સુનિલ કુમાર સિન્હા, ચીફ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ, ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેન્ક અર્થતંત્રના વિકાસને ટેકો આપશે. તેમણે કહ્યું કે સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી.

નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, GDP માં પણ થશે સારો સુધાર
Indian economy will grow at the rate of 7.6 percent in 2022-23
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:50 PM
Share

ભારતીય અર્થતંત્ર (Indian Economy) આગામી નાણાકીય વર્ષ 2022-23માં 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે આ અનુમાન લગાવ્યું છે. એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે લગભગ બે વર્ષના અંતરાલ પછી દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) માં અર્થપૂર્ણ વિસ્તરણ થશે. 2022-23માં વાસ્તવિક જીડીપી 2019-20 (કોવિડ પહેલાનું સ્તર) કરતાં 9.1 ટકા વધુ રહેવાનો અંદાજ છે. ઈન્ડિયા રેટિંગ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ આગામી નાણાકીય વર્ષમાં જીડીપીના વલણ મૂલ્ય કરતાં 10.2 ટકા ઓછું હશે. આ અછત માટે મુખ્ય ફાળો ખાનગી વપરાશ અને રોકાણની માંગમાં ઘટાડો હશે. ખાનગી વપરાશનો હિસ્સો 43.4 ટકા અને રોકાણની માગનો હિસ્સો કુલ ઘટાડાનો 21 ટકા રહેશે.

સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી

આ મહિનાની શરૂઆતમાં, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ જીડીપી પર તેના પ્રથમ એડવાન્સ અંદાજમાં કહ્યું હતું કે 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 9.2 ટકા રહેશે. જેના કારણે ગત નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સુનિલ કુમાર સિન્હા, ચીફ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ, ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેન્ક અર્થતંત્રના વિકાસને ટેકો આપશે.

તેમણે કહ્યું કે સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી. આનો અર્થ એ થયો કે 2022-23માં પણ રાજકોષીય ખાધ ઊંચી રહેશે. આ વૃદ્ધિને ટેકો આપશે. એજન્સીનો અંદાજ છે કે 2022-23માં રાજકોષીય ખાધ 5.8 ટકાથી છ ટકાની વચ્ચે રહેશે. સિન્હાએ જણાવ્યું હતું કે ફુગાવો હાલમાં ઉપર તરફના વલણ પર છે અને અર્થતંત્રનું પુનર્જીવન સુસ્ત છે. આ સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં, મધ્યસ્થ બેંક પોલિસી રેટ વધારવાનું ટાળશે.

ભારતની તરફેણમાં આર્થિક ગતિ

ડેલોઈટના સીઈઓ પુનીત રંજને કહ્યું કે આર્થિક ગતિ ભારતની તરફેણમાં છે. રંજને PTI ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2022માં ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર હશે અને તેનો વિકાસ દર 8 થી 9 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, આ સદી ભારતના નામે રહેવાની છે. તેમણે કોરોના વાયરસથી તાત્કાલિક છૂટકારો મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અને કહ્યું કે, મહામારી આર્થિક વિકાસના મામલે અવરોધ છે.

આ પણ વાંચો : 12,500ના પેમેન્ટ પર RBI આપી રહી છે 4,62,00,000 રૂપિયા, જો તમને પણ ઈ-મેઈલ મળ્યો હોય તો થઈ જાઓ સાવધાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">