ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર

અહેવાલ મુજબ ભારતનું જીડીપીનું બજાર મૂલ્ય 2021માં 2,700 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં 8,400 અબજ ડોલર થવાનો અંદાજ છે.

ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર
India could be bigger economy than Japan by 2030
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:01 AM

અર્થતંત્રના નિષ્ણાનાતો અનુસાર આ દાયકો ભારતના નામે થવા જઈ રહ્યો છે. સ્થાનિક અર્થવ્યવસ્થા દાયકા દરમિયાન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે એટલું જ નહીં, તે 2030 સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શુક્રવારે IHS માર્કેટ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતની તરફેણમાં બીજી ઘણી બાબતો લખવામાં આવી છે જે ભવિષ્યને લઈને ખૂબ જ સકારાત્મક છે.

હાલ ભારત છઠ્ઠા ક્રમે

રિપોર્ટમાં એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નું કદ જર્મની અને યુકે કરતાં પણ વધારે હશે અને ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. વિશ્વના અર્થતંત્રમાં ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

GPD 8,400 અબજ ડોલર થવાનો અંદાજ

IHS માર્કેટ્સ દ્વારા શુક્રવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાયકો ભારતીય અર્થતંત્ર માટે ઘણો સારો રહેવાની સંભાવના છે. અહેવાલ મુજબ ભારતનું જીડીપીનું બજાર મૂલ્ય 2021માં 2,700 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં 8,400 અબજ ડોલર થવાનો અંદાજ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક અર્થતંત્રમાં 3 ગણાથી વધુ વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ ઝડપી વૃદ્ધિ સાથે ભારતીય જીડીપીનું કદ 2030 સુધીમાં જાપાન કરતાં વધી જશે, જેનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે જ સમયે તે સમય સુધીમાં ભારતનો જીડીપી કદના સંદર્ભમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનને પાછળ છોડી ગયો હશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શા માટે ઝડપી વૃદ્ધિ થશે?

એકંદરે ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહે તેવી શક્યતા છે એમ બજારના અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર લાંબા ગાળે સ્થાનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા ઘણા પરિબળો આ ઝડપી ગતિને સમર્થન આપશે. આમાં સૌથી મહત્ત્વનો દેશનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ હશે. આના કારણે ભારતમાં ઉપભોક્તા ખર્ચમાં જોરદાર વધારો થશે. એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં દેશનો ઉપભોક્તા ખર્ચ બમણો થઈ જશે જે અર્થતંત્રને 3 ગણો વૃદ્ધિ કરવામાં પણ મદદ કરશે. રિપોર્ટ અનુસાર ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 2020-21માં 7.3 ટકાની સામે 8.2 ટકા પ્રતિ વર્ષ રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો : Foreign Exchange Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો થયો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન

આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">