ઈન્ડિયા રેટિંગ્સે ઘટાડ્યુ 2022-23 માટે ગ્રોથનું અનુમાન, કહ્યુ રશિયા-યુક્રેન સંકટની પડશે અસર

|

Mar 30, 2022 | 9:11 PM

ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર બે પરિસ્થિતિઓ માટે વૃદ્ધિનો અંદાજ આપવામાં આવ્યો છે. પ્રથમ સ્થિતિમાં જો ક્રૂડ ઓઈલની કિંમત 3 મહિના સુધી ઉંચી રહે છે. બીજા કિસ્સામાં, જો આ સમયગાળા પછી તેલ મોંઘા સ્તરે રહે છે.

ઈન્ડિયા રેટિંગ્સે ઘટાડ્યુ 2022-23 માટે ગ્રોથનું અનુમાન, કહ્યુ રશિયા-યુક્રેન સંકટની પડશે અસર
Indian Economy (Symbolic Image)

Follow us on

રશિયા યુક્રેન ક્રાઈસિસની (Russia Ukraine Crisis) અસર આગામી નાણાકીય વર્ષમાં ભારતના આર્થિક વિકાસ પર જોવા મળશે. ઈન્ડિયા રેટિંગ્સની આ માન્યતા છે. અસરને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ ભારત માટે આગામી નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7.2 કર્યો છે. અગાઉ, એજન્સીએ આગામી નાણાકીય વર્ષ માટે 7.6 ટકા વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો. ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર રશિયા-યુક્રેન સંકટને કારણે અનિશ્ચિતતા વધી છે. જેના કારણે કન્ઝ્યુમર વચ્ચે સેંટીમેંટ્સ બગડ્યા છે, જેની અસર માગ પર જોવા મળી શકે છે. રશિયા-યુક્રેન સંકટના કારણે પણ કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં સૌથી મહત્ત્વનું ક્રૂડ ઓઈલ છે. ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર, જો ક્રૂડ ઓઈલના ભાવ બે ક્વાર્ટર સુધી ઊંચા સ્તરે રહે છે તો વૃદ્ધિ માત્ર 7 ટકા રહી શકે છે.

Next Article