ખેડૂતો માટે અગત્યના સમાચાર : ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

|

Mar 09, 2024 | 8:51 AM

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક પર છે. ખાદ્ય પદાર્થોની કિંમતો અને સ્ટોક પરની ઇન્ટર મિનિસ્ટરિયલ કમિટીની બેઠક પહેલા સરકારે ચોખા અને ઘઉંની નિકાસ પરના પ્રતિબંધનો બચાવ કર્યો હતો.

ખેડૂતો માટે અગત્યના સમાચાર : ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

Follow us on

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક પર છે. ખાદ્ય પદાર્થોની કિંમતો અને સ્ટોક પરની ઇન્ટર મિનિસ્ટરિયલ કમિટીની બેઠક પહેલા સરકારે ચોખા અને ઘઉંની નિકાસ પરના પ્રતિબંધનો બચાવ કર્યો હતો. IMC દર અઠવાડિયે ઉપલબ્ધ ખાદ્યપદાર્થોના સ્ટોક અને વિવિધ ખાદ્ય ઉત્પાદનો પર બજારના હસ્તક્ષેપના પગલાં નક્કી કરવા માટે મળે છે.

શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાને અયોગ્ય ગણાવતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મકાઈ જેવા પાકો કે જેઓ ઓછા પાણીનો વપરાશ કરે છે તેનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થાય છે. મકાઈના પાક અંગે સરકારનું માનવું છે કે તેનો ઉપયોગ ઈથેનોલ મિશ્રણ માટે કરવામાં આવશે. સરકારે ઉદ્યોગને ખાતરી આપી હતી કે આધુનિક સાધનો અને ટેક્નોલોજી તેમને ન્યૂનતમ ખર્ચે ઇથેનોલ ઉત્પાદન માટે મકાઈના ઉપયોગ તરફ બદલાવ કરવાની મંજૂરી આપશે.

શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાની તરફેણ

ખાંડની નિકાસ પરની મર્યાદા અને શેરડીના ઇથેનોલમાં રૂપાંતરનો બચાવ કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતનો ખાદ્યપદાર્થ ફુગાવો ઘણો ઓછો છે તેમ છતાં જ્યારે બજારમાં સટ્ટા  સાથે ઠગાઈની સ્થતી ઉભી થાય છે ત્યારે સરકાર બજારમાં હસ્તક્ષેપ કરવા તૈયાર રહે છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ડુંગળીના ભાવ કેમ વધ્યા?

સૂત્રોએ મહારાષ્ટ્રના લાસલગાંવમાં ડુંગળીના ભાવનું ઉદાહરણ ટાંક્યું હતું જેમાં કોમોડિટી પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની અટકળોને કારણે રાતોરાત 40 ટકાનો વધારો થયો હતો. આ અટકળો UAE અને બાંગ્લાદેશમાં ડુંગળીની મર્યાદિત નિકાસ માટે ભારતની શરતી મંજૂરીને કારણે હતી.

ગરમીમાં અપેક્ષિત વધારો

અત્યાર સુધી માર્ચમાં ઠંડી હોવા છતાં 15 માર્ચ પછી સમગ્ર ભારતમાં ગરમીમાં અચાનક વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સરકાર ટૂંક સમયમાં લણણીના રવી પાકની સ્થિતિ પર નજર રાખી રહી છે ત્યારે તે 2022 જેવી પરિસ્થિતિને રોકવા માટે વહેલી ખરીદી જેવા વિકલ્પો પણ તૈયાર રાખી રહી છે જ્યારે અચાનક ગરમીના મોજાએ ઘણા ઉત્તરમાં ઘઉંનો પાકને નુકસાન કર્યું હતું.

આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો પ્રવાહ વધ્યો, ફેબ્રુઆરીમાં SIP ઇનફ્લો રૂપિયા 19000 કરોડને પાર પહોંચ્યો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article