1 ઓગસ્ટ 2020થી દેશમાં 9 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારની તમારા જીવન પર સીધી અસર પડશે. આ નવા નિયમોથી એક તરફ તમને રાહત મળશે, ત્યારે બીજી તરફ તમે થોડી વાતો પર ધ્યાન ના રાખ્યું તો તમારે આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જાણો આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે.
1. EPFમાં 3 મહિના માટેની લિમિટ સમાપ્ત
EPFમાં 3 મહિના માટે કપાત લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુલાઈ સુધી તેને 12 ટકાથી ઘટાડી 10 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 31 જુલાઈએ આ સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેની જાહેરાત નાણાપ્રધાને પીએમ ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ કરી હતી.
2. ગાડી અને ટૂ-વ્હીલર સસ્તુ થશે.
જો તમે નવી ગાડી કે ટૂ-વ્હીલર ખરીદવાનુ વિચારી રહ્યા છો તો 1 ઓગસ્ટથી ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. IRDA 1 ઓગસ્ટથી થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈન્શ્યોરન્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઈરડાના આદેશ મુજબ ગ્રાહકોને કારની ખરીદી પર 3 વર્ષ અને ટૂ-વ્હીલર વાહનોની ખરીદી પર 5 વર્ષનો થર્ડ પાર્ટી કવર લેવું અનિવાર્ય નહીં હોય. ઈરડાએ આ વાહનો પરથી પેકેજ કવરને પરત લેવાનો નિર્ણય કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
3. બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ
ઘણી બેન્કમાં બચત ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સને લઈ 1 ઓગસ્ટથી નિયમ બદલાવા જઈ રહ્યો છે. તેમાં એક્સિસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્રા બેન્ક અને આરબીએલ બેન્ક સામેલ છે. આ બેન્કોએ 1 ઓગસ્ટથી લેણદેણના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી ઘણી બેન્ક રોકડ ઉપાડવા અને જમા કરવા પર ફી વસૂલશે.
4. ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર
આવતીકાલે દેશમાં ગેસ સિલિન્ડરની કિંમત બદલાઈ જશે. છેલ્લા 2 મહિનાથી કંપનીઓ તેની કિંમતમાં વધારો કરી રહી છે. તેલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ અલગ હોય છે અને તે મુજબ ભાવમાં ફેરફાર હોય છે.
5. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નહીં મળે રાહત
કોરોના સંકટની વચ્ચે સરકારે જાહેરાત કરી હતી કે 25 માર્ચથી 30 જૂન 2020 દરમિયાન બે દીકરી 10 વર્ષની થઈ ગઈ. તેમનું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું 31 જુલાઈ સુધી ખોલી શકાતું હતું. 1 ઓગસ્ટથી તેનો લાભ મળશે નહીં.
6. ઈ-કોમર્સ કંપનીઓને જણાવવું પડશે કે કયા દેશમાં બન્યો છે સામાન
કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. હવે ઈ-કોમર્સ કંપનીઓ પર મળતા ઉત્પાદનો પર એ લખવું જરૂરી છે કે સામાન ક્યાં બન્યો છે. જો કોઈ કંપની આ નિયમનું પાલન નહીં કરે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
7. ખેડૂતોને મળશે લાભ
ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ઘણી જાહેરાતો કરે છે. 1 ઓગસ્ટથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છઠ્ઠો હપ્તો ખેડૂતોને મળશે. મોદી સરકાર ખેડૂતોના બેન્ક ખાતામાં 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આપશે.
8. RBL બેન્કના બચત ખાતા પર વ્યાજદર
RBL બેન્કના બચત ખાતા પર મળનારા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 1 ઓગસ્ટ 2020થી લાગૂ થશે. હવે RBL બેન્ક બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધી જમા કરવા પર ખાતાધારકોને વર્ષના 4.75 ટકા વ્યાજ મળશે. ત્યારે 1થી 10 લાખ રૂપિયા સુધીની રકમ જમા છે તો વાર્ષિક 6 ટકા વ્યાજ મળશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:45 pm, Fri, 31 July 20