મોદી સરકારે નાના રોકાણકારોને નવા વર્ષની આપી ભેટ, પોસ્ટ ઓફિસની આ સ્કીમો પર મળશે વધારે વ્યાજ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે. હાલમાં આ સરકારી સ્કીમ પર વ્યાજ 6.8 ટકા છે. આજ રીતે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 7.6 ટકાની સામે હવે 8 ટકા વ્યાજ મળશે.

મોદી સરકારે નાના રોકાણકારોને નવા વર્ષની આપી ભેટ, પોસ્ટ ઓફિસની આ સ્કીમો પર મળશે વધારે વ્યાજ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 8:42 PM

મોદી સરકારે વર્ષ 2022ના અંતમાં દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. મોદી સરકારે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણકારો માટે એક મહત્વનું પગલું લીધું છે. મોદી સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર વધારી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ માટે ઘણી સ્કીમો પર વ્યાજદર વધારવામાં આવ્યો છે. PTI મુજબ સરકારે શુક્રવારે પોસ્ટ ઓફિસની ફિકસ્ડ ડિપોઝિટ, NSC અને સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરમાં 1.1 ટકા સુધી વધારો કર્યો. આ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે.

સરકારે આ વધારો હાલમાં વ્યાજના દરોમાં થયેલા વધારાને અનુરૂપ કર્યો છે. પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજનાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કેટલું મળશે વ્યાજ?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે. હાલમાં આ સરકારી સ્કીમ પર વ્યાજ 6.8 ટકા છે. આજ રીતે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 7.6 ટકાની સામે હવે 8 ટકા વ્યાજ મળશે.

ત્યારે 5 વર્ષની મુદ્દતની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એટલે કે FD પર વ્યાજદર 1.1 ટકા સુધી વધી જશે. પોસ્ટ ઓફિસમાં હવે એક વર્ષની એફડી કરવા પર 5.5 ટકાની જગ્યાએ 6.6 ટકા વ્યાજ મળશે. ત્યારે પોસ્ટ ઓફિસમાં બે વર્ષના સમયગાળા પર FD કરવા પર 5.7 ટકાની જગ્યાએ 6.8 ટકાના દરે વ્યાજ મળશે. બે વર્ષની પોસ્ટ ઓફિસની એફડી પર વ્યાજદર 5.8 ટકાથી વધારીને 6.9 ટકા કરવામાં આવ્યું છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર પોસ્ટ ઓફિસમાં વ્યાજ 6.7 ટકાથી વધારીને 7 ટકા થઈ ગયું છે.

KVP પર પણ મળશે વધારે ફાયદો

પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમમાં પણ 6.7 ટકાની જગ્યાએ હવે 7.1 ટકાના દરથી વ્યાજ મળશે. જ્યારે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1 જાન્યુઆરીથી 2023થી 7 ટકાની જગ્યાએ 7.2ના દરથી વ્યાજ મળશે. આ સ્કીમમાં જમા કરેલી રકમ પહેલા 123 મહિનામાં મેચ્યોર થતી હતી, હવે આ રાશિ 120 મહિનામાં મેચ્યોર થશે.

કેન્દ્ર સરકારે આ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરોમાં ઘણા સમયથી કોઈ ફેરફાર કર્યો નહતો. ત્યારે નવા વર્ષ પર સ્મોલ સેવિંગ્સ સ્કીમના રોકાણકારોને સરકાર તરફથી નવા વર્ષની આ ભેટ મળી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">