Loan Moratoriumનો લાભ લેનારાઓ માટે સારા સમાચાર, વ્યાજ પરનું વ્યાજ રિફંડ અપાશે

|

Apr 08, 2021 | 9:41 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) ને ગયા વર્ષના છ મહિનાના મુદત દરમિયાન લીધેલા વ્યાજ પરના વ્યાજ પરના એડજસ્ટમેન્ટ માટે તેમના નિયામક મંડળ દ્વારા માન્ય નીતિને મંજૂરી આપવા જણાવ્યું છે.

Loan Moratoriumનો લાભ લેનારાઓ માટે સારા સમાચાર, વ્યાજ પરનું વ્યાજ રિફંડ અપાશે
સરકારી કર્મચારીઓના DA પછી TA પણ વધશે નહીં

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) ને ગયા વર્ષના છ મહિનાના મુદત દરમિયાન લીધેલા વ્યાજ પરના વ્યાજ પરના એડજસ્ટમેન્ટ માટે તેમના નિયામક મંડળ દ્વારા માન્ય નીતિને મંજૂરી આપવા જણાવ્યું છે. રિઝર્વ બેન્કે ગયા મહિને લીધેલા નિર્ણયમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન વ્યાજ પર વ્યાજલેવાની મનાઈ ફરમાવી હતી. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનું પાલન કરવા માટે રિઝર્વ બેંકે બેંકોને રિફંડ પોલિસી બનાવવા કહ્યું હતું.

રિઝર્વ બેંકે ગયા વર્ષે કોવિડ -19 રોગચાળા દરમિયાન લોન લેનારાઓને રાહત પેકેજ આપીને તેમની લોનના હપ્તાઓની ચુકવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. કર્જદારોને પહેલા 1 માર્ચથી 31 મે સુધી લંબાવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મુદત ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી.

વ્યાજ ઉપર વ્યાજની રકમ રિફંડ થશે
રિઝર્વ બેંકે બુધવારે એક પરિપત્રમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે તમામ ધિરાણ આપતી સંસ્થાઓએ તેમના ડિરેક્ટર મંડળ દ્વારા વહેલી તકે મંજૂર કરેલી રીફંડ, એડજસ્ટમેન્ટ નીતિ લાગુ કરવી જોઈએ. આ રિફંડ નીતિ હેઠળ, લેણદારો પર 1 માર્ચથી 31 ઓગસ્ટ 2020 ના સમયગાળા દરમિયાન વ્યાજના વ્યાજની રકમ પરત અથવા એડજસ્ટ થવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુપ્રીમ કોર્ટે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો
સુપ્રિમ કોર્ટે 23 માર્ચ 2021 ના ​​ચુકાદામાં કહ્યું હતું કે છ મહિનાના સ્થિર સમયગાળા દરમિયાન કોઈ દંડ અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ લેવો જોઈએ નહીં. બેંકો અને સંસ્થાઓએ પહેલેથીજ વસુલાત કરી હોય તો વ્યાજ લોન ખાતાના આગલા હપતામાં સમાયોજિત થવી જોઈએ અથવા પરત કરી દેવા જોઈએ.

6 મહિનાથી વધુની લોન મોરટોરિયમ વધવાથી આ અસર થશે
સપ્ટેમ્બર 2020 માં RBIએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ ફાઇલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે લોનની મુદત 6 મહિનાથી વધુ માટે લંબાવી દેવાથી ક્રેડિટની ડિસિપ્લિનનો અંત આવી શકે છે અને અર્થવ્યવસ્થાને વિપરીત અસર થશે.

કેન્દ્ર સરકારે આ મામલે એક અલગ સોગંદનામું પણ દાખલ કર્યું હતું. સરકારે કહ્યું હતું કે મોકૂફીના 6 મહિના દરમિયાન કેન્દ્ર 2 કરોડ રૂપિયા સુધીની લોનની EMI પર વ્યાજ ચૂકવશે.

Next Article