AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 હજારની નોટથી છુટકારો મેળવવા લોકો ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, જ્વેલરીની રોકડમાં ખરીદીના વેપારમાં તેજી આવી

જ્વેલર્સ બોડી જીજેસીએ જણાવ્યું હતું કે કેવાયસી ધોરણોને કારણે છેલ્લા બે દિવસમાં રૂ. 2,000ની નોટ સામે સોનાની વાસ્તવિક ખરીદી ઓછી રહી છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક જ્વેલર્સે સોના માટે 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે. તેની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે.

2000 હજારની નોટથી છુટકારો મેળવવા લોકો ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, જ્વેલરીની રોકડમાં ખરીદીના વેપારમાં તેજી આવી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 7:07 AM
Share

રિઝર્વ બેંકના રૂપિયા  2,000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ ઝવેરી બજાર(bullion market)માં દાગીના ખરીદનાર ગ્રાહકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. 19 મેના રોજ નોટો પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ ગ્રાહકોએ રૂપિયા 2000ની નોટો ખર્ચવા માટે બુલિયન માર્કેટમાં ખરીદી કરી છે. જ્વેલરી એસોસિએશને જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ  દિવસથી જ્વેલરી ખરીદવા અને તેની કિંમત જાણવા  આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ચીન પછી વિશ્વના બીજા સૌથી મોટા સોનાના ખરીદાર ભારતમાં જ્વેલર્સ છેલ્લા બે દિવસથી ખૂબ જ વ્યસ્ત છે. હકીકતમાં 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ લોકો આ નોટને ખર્ચવા માટે ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે. વધુ ગ્રાહકોએ સોના-ચાંદીની ખરીદી માટે પૂછપરછ પણ શરૂ કરી છે.

જ્વેલર્સ બોડી જીજેસીએ જણાવ્યું હતું કે કેવાયસી ધોરણોને કારણે છેલ્લા બે દિવસમાં રૂ. 2,000ની નોટ સામે સોનાની વાસ્તવિક ખરીદી ઓછી રહી છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક જ્વેલર્સે સોના માટે 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે. તેની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે.

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ ના પ્રમુખ સૈયમ મહેરાએ જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટ સાથે સોનું કે ચાંદી ખરીદવા અંગે ઘણી પૂછપરછ કરવામાં આવી છે. જો કે, કડક KYC ધોરણોને કારણે વાસ્તવિક ખરીદી ઓછી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ઘણા જ્વેલરી રિટેલર્સે રૂ. 2,000ની નોટ કરતાં વધુ પ્રીમિયમ દરે સોનું વેચ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ના હોલમાર્ક અમલીકરણે જ્વેલર્સને ઔપચારિક વ્યવસાય ગોઠવવા અને કરવા પ્રોત્સાહિત કર્યા છે. જેના કારણે ઉચ્ચ મૂલ્યની ચલણી નોટોથી લેવડદેવડ કરવાની જરૂરિયાત નજીવી બની ગઈ છે. ડીજીટલ પેમેન્ટ તરફ ગ્રાહકોનો ઝુકાવ વધુ છે. તેથી રૂ. 2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેવાથી સોનાના વેપાર પર કોઈ મોટી અસર નહીં થાય.

PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગિલે જણાવ્યું હતું કે સોના સામે પ્રીમિયમ દરે રૂ. 2,000ની નોટ લેવાની પ્રક્રિયા માત્ર અસંગઠિત ક્ષેત્રમાં જ થઈ શકે છે. સંગઠિત ક્ષેત્રના જ્વેલરી વેપારીઓ આનાથી દૂર છે. નેમીચંદ બમલવા એન્ડ સન્સના પાર્ટનર બચરાજ બામલવાએ જણાવ્યું હતું કે કેટલાક ગ્રાહકો પાસેથી પૂછપરછ ચાલી રહી છે પરંતુ સોનું ખરીદવાની કોઈ ઉતાવળ નથી. આગામી દિવસોમાં તેમાં થોડો વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે જ્વેલર્સ આવકવેરા તેમજ મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓ અનુસાર KYC ધોરણોનું પાલન કરીને સોનું વેચી રહ્યા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">