ગોલ્ડ હોલમાર્કિંગ (Gold Hallmarking)ને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર જૂના જ્વેલરીના હોલમાર્કિંગ માટે જ્વેલર્સને વધુ એક રાહત આપી શકે છે. સરકાર ફરજિયાત હોલ માર્કિંગ માટેની સમયમર્યાદા 3 મહિના સુધી વધારી શકે છે. તેની તારીખ 31 નવેમ્બર સુધી વધારી શકાય છે.
તમને જણાવી દઈએ કે જો તમારા સોનાના દાગીનાને હોલમાર્ક કરવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. ઘણા જ્વેલર્સ તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હોલમાર્ક લાગુ કરે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક ઓરિજિનલ છે કે નહીં તે જોવું જરૂરી છે. ઓરિજિનલ હોલમાર્ક બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું ત્રિકોણીય ચિહ્ન ધરાવે છે. હોલમાર્કિંગ સેન્ટરના લોગો સાથે તેની ઉપર સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે. તેમાં જ્વેલરી ઉત્પાદનનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ છે.
શું છે સરકારની તૈયારી?
જો સૂત્રોનું માનીએ તો સરકાર ફરજિયાત હોલમાર્કિંગની સમયમર્યાદા 3 મહિના માટે વધારી શકે છે. જ્વેલર્સને 31 નવેમ્બર સુધીનો સમય મળી શકે છે. જૂની જ્વેલરીને હોલમાર્ક કરવાની અંતિમ તારીખ વધી શકે છે. શનિવારે ગ્રાહક મંત્રાલય અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) જ્વેલર્સ સાથે બેઠક યોજી હતી. હવે એવું માનવામાં આવે છે કે સરકાર છૂટ આપી શકે છે.
શું છે જ્વેલર્સનું ટેન્શન
હવે સરકારની તૈયારી શું છે?
હોલમાર્કિંગ સેન્ટરમાં હવે દરેક પીસ પર હોલમાર્ક કરવામાં આવશે. HUID અંગે કાનૂની સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી જ્વેલર્સની સમસ્યાઓનું નિરાકરણ કરશે. હોલમાર્કિંગ સેન્ટર ખોલવા માટે સ્થાનિક એશોસિએશનને પણ મંજૂરી મળશે. આ સાથે સરકાર તેમને સબસિડી પણ આપશે.
આ નિયમ શા માટે જરૂરી છે?
હોલમાર્કિંગ ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે હોલમાર્ક કરેલ જ્વેલરી ખરીદો છો તો જ્યારે તમે તેને વેચવા જાઓ છો, ત્યારે તેમાં કોઈ ઘસારો ખર્ચ કાપવામાં આવશે નહીં.આનો અર્થ એ કે તમને તમારા સોનાની સંપૂર્ણ કિંમત મળશે. આ સિવાય તમે જે સોનાની ખરીદી કરો છો તેની ગુણવત્તાની ખાતરી આપવામાં આવશે. તેનાથી દેશમાં ભેળસેળયુક્ત સોનાનું વેચાણ બંધ થશે. તેમજ ગ્રાહકોને છેતરાઈ જવાનો ડર રહેશે નહીં.
આ પણ વાંચો : SBI એ ગ્રાહકોને આપી ચેતવણી : જો રાખશો લાપરવાહી તો જીવનભરની કમાણી આંખના પલકારામાં થઈ જશે ડૂલ , જાણો શું છે મામલો