AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment: થાપણદારોને સરકારની ભેટ, હવે બેંક જમા રકમ પર 5 લાખ રૂપિયાની ગેરંટી આપવામાં આવશે

Investment: સરકારે ડીઆઈસીજીસી એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. આનથી 5 લાખ રૂપિયા સુધીના સંકટમાં બેંકોના થાપણદારોની મૂડી પર વીમાનું રક્ષણ કરશે.

Investment: થાપણદારોને સરકારની ભેટ, હવે બેંક જમા રકમ પર 5 લાખ રૂપિયાની ગેરંટી આપવામાં આવશે
પ્રતિકાત્મક તસ્વીર
Ankit Modi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 5:11 PM
Share

Investment: સરકારે ડીઆઈસીજીસી એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. આનથી 5 લાખ રૂપિયા સુધીના સંકટમાં બેંકોના થાપણદારોની મૂડી પર વીમાનું રક્ષણ કરશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2021 માં ડીઆઈસીજીસી (ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન) એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. સરકારે ગત બજેટ 2020 માં બેંક ગ્રાહકો માટે થાપણો પરની વીમા કવચની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી હતી.

ડીઆઈસીજીસી એક્ટ -1961 માં સુધારા કરાશે થાપણો પરના વીમાનું રક્ષણ પાંચ ગણી વધારીને પાંચ લાખ રૂપિયા કરવા માટે સરકારે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, હું આ સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ -1961 માં સુધારા રજૂ કરીશ. આ સાથે આ જોગવાઈઓને તર્કસંગત બનાવી શકાય તેમ છે.

તાજેતરમાં આ બેંકો ઉપર સંકટ તોળાયું હતું નાના મંત્રીએ કહ્યું કે આ પગલાથી તે બેંકોના થાપણદારોને રાહત મળશે જે હાલના સમયમાં સંકટમાં છે. ડીઆઇસીજીસી એ ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે બેંક થાપણો પર વીમા કવચ પ્રદાન કરે છે. હાલના સમયમાં પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંક, યસ બેંક અને લક્ષ્મી વિલાસ બેંક ઉપર સંકટ તોળાયું હતું.

વર્તમાન બજેટ સત્રમાં જ સુધારો કરવામાં આવશે નાણાં પ્રધાને 2021 ના ​​બજેટમાં કહ્યું હતું કે હાલના બજેટ સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ 1961 માં સુધારો કરીને પ્રસ્તાવ લાવવામાં આવશે જેથી જોગવાઈઓને આગળ ધપાવી શકાય. આ સ્થિતિમાં જો કોઈ બેંક પોતાની જવાબદારી પૂરી કરવામાં અસ્થાયીરૂપે નિષ્ફળ જશે તો બેંકમાં જમા રકમ કરનારાઓને તેમની રકમ 5 લાખ રૂપિયા સુધી સરળતાથી અને સમયસર મળી જશે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">