GDP Data : વિશ્વભરના અર્થતંત્રમાં મંદી પણ ભારતમા તેજી, જીડીપી વૃદ્ધિએ દર્શાવી મજબૂતી, સરકારની ખાધમાં ઘટાડો થયો

|

May 31, 2023 | 7:14 PM

આરબીઆઈએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે વૈશ્વિક સ્તરે ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિઓ ચાલી રહી છે, તે પછી પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહેવાની આશા છે.

GDP Data : વિશ્વભરના અર્થતંત્રમાં મંદી પણ ભારતમા તેજી, જીડીપી વૃદ્ધિએ દર્શાવી મજબૂતી, સરકારની ખાધમાં ઘટાડો થયો
GDP Data (symbolic image)

Follow us on

સરકારે ચોથા ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. સરકારી ડેટા અનુસાર ચોથા ક્વાર્ટરમાં દેશની જીડીપી 6.1% રહી છે. અગાઉ દેશનો જીડીપી 4.4 ટકા હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે આ જીડીપી વૃદ્ધિ દર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના અંદાજ કરતાં વધુ સારો છે. આરબીઆઈએ જીડીપી વૃદ્ધિ દર 5.1 ટકા રહેવાની અપેક્ષા રાખી હતી.

સરકારી આંકડાઓ અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર (GDP વૃદ્ધિ દર) 7.2 ટકા રહ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે બુધવારે જીડીપીના આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર 9.1 ટકા હતો. આ સાથે સરકારે રાજકોષીય ખાધના આંકડા પણ જાહેર કર્યા છે. સરકારની રાજકોષીય ખાધમાં ઘટાડો થયો છે. આ પણ અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે.

આ રીતે અર્થતંત્ર ક્વાર્ટર દર ક્વાર્ટરમાં વૃદ્ધિ પામ્યું

જો આપણે ત્રિમાસિક ધોરણે નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાએ 13.1 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરમાં વૃદ્ધિ દર 6.2 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બરમાં 4.5 ટકા હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ


સરકારે છેલ્લા ત્રણ ક્વાર્ટરના સુધારેલા આંકડા પણ જાહેર કર્યા છે. સંશોધિત જીડીપી વૃદ્ધિ દર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.2 ટકા, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.2 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.5 ટકા રહ્યો છે.

સરકારની ખોટ ઘણી ઓછી થઈ છે

અગાઉ, સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધના આંકડા પણ જાહેર કર્યા હતા. એપ્રિલ 2022 થી માર્ચ 2023 ની વચ્ચે સરકારની રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા પર આવી ગઈ છે. જ્યારે સરકારે અનુમાન લગાવ્યું હતું કે તે જીડીપીના 6.7 ટકા જેટલું રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ચાલુ નાણાકીય વર્ષના સામાન્ય બજેટમાં રાજકોષીય ખાધને જીડીપીના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. હવે તેમાં સુધારો કરીને તેને જીડીપીના 5.9 ટકાના સ્તરે લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે જ સમયે, સરકારનો પ્રયાસ 2025-26 સુધીમાં તેને જીડીપીના 4.5 ટકાની બરાબર લાવવાનો છે.

આ આંકડા અર્થતંત્રને વેગ આપશે

જીડીપીની સાથે દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા તમામ આંકડા પર કરીએ એક નજર.

  1. ચોથા ક્વાર્ટરમાં દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 4.5 ટકા રહ્યો છે.
  2. આ સમયગાળા દરમિયાન બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 10.4 ટકા છે.
  3. ખાણકામ ક્ષેત્રે ચોથા ક્વાર્ટરમાં 4.6 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી.
  4. આ સમયગાળા દરમિયાન સેવા ક્ષેત્રનો વિકાસ દર 6.9 ટકા રહ્યો છે.
  5. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે ચોથા ક્વાર્ટરમાં 6.3 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
  6. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશમાં કૃષિ વિકાસ દર 5.5 ટકા રહ્યો છે.
  7. નાણાકીય વર્ષ 2022-23માં માથાદીઠ જીડીપી 1,96,983 રૂપિયા રહી છે.

ફુગાવાના આંકડામાં પણ સુધારો થયો છે

આ સાથે દેશમાં મોંઘવારી દર સતત નીચે આવી રહ્યો છે. માર્ચમાં છૂટક ફુગાવો 5.60 ટકા હતો, જ્યારે એપ્રિલ મહિનામાં તે ઘટીને 4.70 ટકા થયો હતો. આનો અર્થ એ થયો કે ફુગાવાનો દર સતત બે મહિનાથી આરબીઆઈના મહત્તમ 6 ટકાના સ્તરથી નીચે રહ્યો છે.

Next Article