AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણીને મળ્યો રાજીવ જૈનનો સાથ, GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં વધાર્યુ રોકાણ

GQG પાર્ટનર્સ ચીફ ઈકોનોમિસ્ટ ઓફિસર રાજીવ જૈને ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં તેમની કંપની પરિવાર પછી મૂલ્યાંકનના આધારે અદાણી ગ્રૂપમાં સૌથી મોટી રોકાણકાર બનવા માંગે છે.

ગૌતમ અદાણીને મળ્યો રાજીવ જૈનનો સાથ, GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં વધાર્યુ રોકાણ
Gautam Adani gets support from Rajiv Jain
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 5:47 PM
Share

જ્યારથી ગૌતમ અદાણીના (Gautam Adani) અદાણી ગ્રુપને રાજીવ જૈનની (Rajiv Jain) ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સનો સાથ મળ્યો છે. ત્યારથી ગ્રુપ અને કંપનીઓમાં રોકાણ કરતા નાના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ફરી અદાણી ગ્રુપમાં રાજીવ જૈનના GQG પાર્ટનર્સે તેનું રોકાણ બમણું કરીને 10 ટકા હિસ્સો લીધો છે. આ ઉપરાંત રાજીવ જૈને અદાણી ગ્રૂપને લઈને તેમની સંપૂર્ણ 5-વર્ષીય યોજના બનાવી છે, જેથી ગ્રૂપની અંદર નવા જીવનનો સંચાર થઈ શકે. ચાલો તમને એ પણ જણાવીએ કે રાજીવ જૈન આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ સાથે શું કરવા જઈ રહ્યા છે.

રાજીવ જૈને અદાણી ગ્રુપમાં રોકાણ બમણું કર્યું

રાજીવ જૈનની GQG પાર્ટનર્સ કંપનીએ અદાણી ગ્રુપમાં તેનું રોકાણ 10 ટકા કર્યું છે. મતલબ કે તેણે પોતાનું રોકાણ બમણું કર્યું છે. તેનું કારણ એ પણ છે કે 100 દિવસમાં અદાણી જૂથની કંપનીઓએ GQG પાર્ટનર્સ માટે 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધારીને 23 હજાર કરોડ રૂપિયાથી વધુ કરી દીધું છે. આ સિવાય રાજીવ જૈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આવનારા દિવસોમાં તેઓ ફંડ રેઈઝિંગ પ્લાનિંગમાં અદાણી ગ્રુપની સાથે હોઈ શકે છે.

આ પણ વાંચો: Share Market : બજાર સ્થિરતા સાથે બંધ, છતા નિવેશકો કમાયા રુ 99,000 કરોડ, છેલ્લા કલાકોમાં ખેલાઇ ગયો દાવ

પંચવર્ષીય યોજના બનાવી

રાજીવ જૈન અદાણી ગ્રુપમાં તેમના રોકાણની સફળતાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેના માટે તેમણે આગામી પાંચ વર્ષનું આયોજન પણ કર્યું છે. GQG પાર્ટનર્સ ચીફ ઈકોનોમિસ્ટ ઓફિસર રાજીવ જૈને ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં તેમની કંપની પરિવાર પછી મૂલ્યાંકનના આધારે અદાણી ગ્રૂપમાં સૌથી મોટી રોકાણકાર બનવા માંગે છે. તે સ્પષ્ટ છે કે GQG પાર્ટનર્સ અદાણી ગ્રૂપમાં મુખ્ય સભ્ય તરીકે પોતાનું સ્થાન બનાવવા માંગે છે, જેથી તે મહત્તમ નફો મેળવી શકે. એટલા માટે અમેરિકન ફર્મ પણ સતત રોકાણ કરી રહી છે.

29 હજાર કરોડનું રોકાણ

તેમણે કહ્યું કે અદાણી ગ્રુપમાં GQG પાર્ટનર્સનું રોકાણ આશરે રૂ. 29,000 કરોડ એટલે કે $3.5 બિલિયન હતું. બાય ધ વે, તેણે અદાણી ગ્રુપની કઈ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તેની માહિતી આપી નથી. અગાઉ, માર્ચ મહિનામાં અમેરિકન ફર્મે ફેમિલી ટ્રસ્ટ દ્વારા અદાણી જૂથની 4 કંપનીઓમાં 2 અબજ ડોલર એટલે કે રૂ. 15 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.

શેરમાં વધારો જોવા મળ્યો હતો

આ રોકાણ બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ અદાણી ગ્રુપના શેરમાં 70 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો હતો. જ્યારથી GQGએ અદાણી ગ્રૂપમાં રોકાણ કર્યું છે અને તે પહેલાં તેણે રોકાણનો રોડ શો કર્યો છે, ત્યારથી ગ્રૂપ કંપનીઓના શેરમાં વધારો થયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">