AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઘર લેવું પણ પડશે મોંઘુ, બીજી એપ્રિલથી 1000 સ્કવેર ફૂટનો ફ્લેટ રૂ. 4 થી 5 લાખ મોંઘો પડશે

બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે

હવે ઘર લેવું પણ પડશે મોંઘુ, બીજી એપ્રિલથી 1000 સ્કવેર ફૂટનો ફ્લેટ રૂ. 4 થી 5 લાખ મોંઘો પડશે
Now buying house become costly (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 10:12 AM
Share

પહેલી એપ્રિલે , 2022-23 ના નવા હિસાબી(Financial ) વર્ષનો સૂર્યોદય બે મોટા બેડ ન્યુઝ(Bad News ) સાથે થશે . અઠવાડિયામાં(Week ) એક દિવસના ફરજિયાત ઔધોગિક વીજ કાપ અને બીજા બેડ ન્યુઝ એ બાંધકામ ઉદ્યોગમાં બીજી એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી 500 નો ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવશે . ઘર વસાવવાની યોજના ધરાવતા લોકોએ હવે 1 હજાર સ્કે.ફૂટના બાંધકામ પર સરેરાશ રૂ .4  થી 5 લાખ વધુ ચૂકવવા પડશે . ક્રેડાઇ સુરતના પ્રેસિડેન્ટ સંજય મંગુકિયાએ જણાવ્યું હતું કે ક્રેડાઇ ગુજરાત દ્વારા દસ દિવસ પૂર્વે નિયત કરવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતના બાંધકામ ઉદ્યોગમાં ભાવ વધારો લાગૂ કરવામાં આવે .

સુરત શહેરમાં બાંધકામ ઉદ્યોગ સૌથી વધુ ઝડપે વિકસી રહ્યો હોઇ , સુરતમાં ભાવ વધારો થોડો આકરો જરૂર લાગશે . તેમણે કહ્યું કે બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામે તમામ પ્રકારના રો મટિરિયલમાં છેલ્લા છ મહિનાથી સતતત ભાવ વધી રહ્યા છે . સિમેન્ટ , સ્ટીલ , રેતી , કપચી , ઇંટ , કલર , કેમિકલ , લાકડું વગેરે કોઇપણ મટિરિયલ લેવા જઇએ તો છ મહિના પહેલાના ભાવ કરતા આજના ભાવોમાં વીસ ટકાથી લઈને 70 ટકા સુધીનો વધારો નોંધાયો છે .

પરીણામે મકાન , ફ્લેટ , રો હાઉસ વગેરેના બાંધકામની પડતર ઉંચી જઇ રહી હોઇ , સુરત ક્રેડાઇના તમામ બિલ્ડર્સ આગામી તા .૨ એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી રૂ .500 નો ભાવ વધારો કરશે . જે લોકો પોતાનું ઘર વસાવવા માંગે છે તેમના પર પ્રતિ હજાર સ્ક્વેર ફૂટના બાંધકામે ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો વધારાનો આર્થિક બોજ પડશે .

ભાવ વધારો બાંધકામ ઉદ્યોગમાં મંદી નોંતરશે

બાંધકામ ઉદ્યોગમાં પ્રતિ સ્કેવર ફૂટે રૂ .૪૦૦ થી ૫૦૦ ના ભાવવધારા બાબતે પરસ્પર વિરોધાભાસ પ્રવર્તી રહ્યો છે . ઘણાં બિલ્ડર્સ , ડેવલપર્સ ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છે , તેમના મતે ભાવ વધારો કરવાનું કામ દરેકે દરેક બિલ્ડર્સ પર છોડી દેવું જોઇએ. તેઓ પોતપોતાની રીતે ભાવવધારો કરવો કે નહીં તે નક્કી કરશે . અન્યથા ભાવવધારાના કારણે સમગ્ર બાંધકામ ઉદ્યોગ કે જે કોરોનાના કારણે આમેયછેલ્લાબે વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે તેમાં વધુ ભારે મંદી છવાઇ જશે . સુરત સમેત ગુજરાતમાં એવા ઘણાં મોટાબિલ્ડર્સ ગ્રુપ છેકે જેઓ ક્રેડાઇના ભાવવધારાના ફતવાનીવિરુદ્ધમાં ઓછા નફે પણ વેપાર કરી લેવાના મૂડમાં છે .

તો સરકારી આવાસ યોજનાઓમાં પણ મકાનોનાં ભાવ વધારાનાં એંધાણ

બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે . ટેન્ડરની શરતોમાં સામેલ જ હોય છે કે જે તે સમયે મટિરિયલના ભાવવધારા બાબતે લેવી દેવી સેટલ કરવી . આમ , આજે નહીં તો કાલે સરકારી આવાસ યોજનાઓમાં પણ ભાવ વધારો આવશે જ અને તેની અસર ગરીબ પરિવારો પર પણ વર્તાશે .

આ પણ વાંચો :

SMC નું સરવૈયું : મિલ્કતવેરા પેટે કોર્પોરેશનને ચાલુ વર્ષ 1165.11 કરોડની જંગી આવક, અન્ય ટેક્સની આવકમાં પણ વધારો

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">