AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઘર લેવું પણ પડશે મોંઘુ, બીજી એપ્રિલથી 1000 સ્કવેર ફૂટનો ફ્લેટ રૂ. 4 થી 5 લાખ મોંઘો પડશે

બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે

હવે ઘર લેવું પણ પડશે મોંઘુ, બીજી એપ્રિલથી 1000 સ્કવેર ફૂટનો ફ્લેટ રૂ. 4 થી 5 લાખ મોંઘો પડશે
Now buying house become costly (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 10:12 AM
Share

પહેલી એપ્રિલે , 2022-23 ના નવા હિસાબી(Financial ) વર્ષનો સૂર્યોદય બે મોટા બેડ ન્યુઝ(Bad News ) સાથે થશે . અઠવાડિયામાં(Week ) એક દિવસના ફરજિયાત ઔધોગિક વીજ કાપ અને બીજા બેડ ન્યુઝ એ બાંધકામ ઉદ્યોગમાં બીજી એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી 500 નો ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવશે . ઘર વસાવવાની યોજના ધરાવતા લોકોએ હવે 1 હજાર સ્કે.ફૂટના બાંધકામ પર સરેરાશ રૂ .4  થી 5 લાખ વધુ ચૂકવવા પડશે . ક્રેડાઇ સુરતના પ્રેસિડેન્ટ સંજય મંગુકિયાએ જણાવ્યું હતું કે ક્રેડાઇ ગુજરાત દ્વારા દસ દિવસ પૂર્વે નિયત કરવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતના બાંધકામ ઉદ્યોગમાં ભાવ વધારો લાગૂ કરવામાં આવે .

સુરત શહેરમાં બાંધકામ ઉદ્યોગ સૌથી વધુ ઝડપે વિકસી રહ્યો હોઇ , સુરતમાં ભાવ વધારો થોડો આકરો જરૂર લાગશે . તેમણે કહ્યું કે બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામે તમામ પ્રકારના રો મટિરિયલમાં છેલ્લા છ મહિનાથી સતતત ભાવ વધી રહ્યા છે . સિમેન્ટ , સ્ટીલ , રેતી , કપચી , ઇંટ , કલર , કેમિકલ , લાકડું વગેરે કોઇપણ મટિરિયલ લેવા જઇએ તો છ મહિના પહેલાના ભાવ કરતા આજના ભાવોમાં વીસ ટકાથી લઈને 70 ટકા સુધીનો વધારો નોંધાયો છે .

પરીણામે મકાન , ફ્લેટ , રો હાઉસ વગેરેના બાંધકામની પડતર ઉંચી જઇ રહી હોઇ , સુરત ક્રેડાઇના તમામ બિલ્ડર્સ આગામી તા .૨ એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી રૂ .500 નો ભાવ વધારો કરશે . જે લોકો પોતાનું ઘર વસાવવા માંગે છે તેમના પર પ્રતિ હજાર સ્ક્વેર ફૂટના બાંધકામે ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો વધારાનો આર્થિક બોજ પડશે .

ભાવ વધારો બાંધકામ ઉદ્યોગમાં મંદી નોંતરશે

બાંધકામ ઉદ્યોગમાં પ્રતિ સ્કેવર ફૂટે રૂ .૪૦૦ થી ૫૦૦ ના ભાવવધારા બાબતે પરસ્પર વિરોધાભાસ પ્રવર્તી રહ્યો છે . ઘણાં બિલ્ડર્સ , ડેવલપર્સ ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છે , તેમના મતે ભાવ વધારો કરવાનું કામ દરેકે દરેક બિલ્ડર્સ પર છોડી દેવું જોઇએ. તેઓ પોતપોતાની રીતે ભાવવધારો કરવો કે નહીં તે નક્કી કરશે . અન્યથા ભાવવધારાના કારણે સમગ્ર બાંધકામ ઉદ્યોગ કે જે કોરોનાના કારણે આમેયછેલ્લાબે વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે તેમાં વધુ ભારે મંદી છવાઇ જશે . સુરત સમેત ગુજરાતમાં એવા ઘણાં મોટાબિલ્ડર્સ ગ્રુપ છેકે જેઓ ક્રેડાઇના ભાવવધારાના ફતવાનીવિરુદ્ધમાં ઓછા નફે પણ વેપાર કરી લેવાના મૂડમાં છે .

તો સરકારી આવાસ યોજનાઓમાં પણ મકાનોનાં ભાવ વધારાનાં એંધાણ

બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે . ટેન્ડરની શરતોમાં સામેલ જ હોય છે કે જે તે સમયે મટિરિયલના ભાવવધારા બાબતે લેવી દેવી સેટલ કરવી . આમ , આજે નહીં તો કાલે સરકારી આવાસ યોજનાઓમાં પણ ભાવ વધારો આવશે જ અને તેની અસર ગરીબ પરિવારો પર પણ વર્તાશે .

આ પણ વાંચો :

SMC નું સરવૈયું : મિલ્કતવેરા પેટે કોર્પોરેશનને ચાલુ વર્ષ 1165.11 કરોડની જંગી આવક, અન્ય ટેક્સની આવકમાં પણ વધારો

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">