Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSE Scam: NSEના પુર્વ CEO ચિત્રા રામકૃષ્ણએ ધરપકડ બાદ સીબીઆઈ પાસે કરી આ બે માંગ

સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ દરમિયાન સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ફોરેન્સિક સાયકોલોજિસ્ટની સેવાઓ પણ લીધી હતી.

NSE Scam: NSEના પુર્વ CEO ચિત્રા રામકૃષ્ણએ ધરપકડ બાદ સીબીઆઈ પાસે કરી આ બે માંગ
Former NSE CEO Chitra Ramakrishna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 7:46 AM

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણને (Chitra Ramakrishna) સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કો-લોકેશન કૌભાંડ  (Co- Location Scam) કેસમાં સીબીઆઈ દ્વારા રવિવારે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સીબીઆઈએ ફેબ્રુઆરીમાં તેમની ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. તેણે 24 અને 25 ફેબ્રુઆરીએ તેમના ઘરે તપાસ પણ કરી હતી.

અધિકારીઓએ કહ્યું કે તેઓ સાચો જવાબ આપી રહ્યા નથી. સીબીઆઈ સુબ્રમણ્યમની પૂછપરછ કરીને તેના દ્વારા એકત્ર કરાયેલા પુરાવાને ચકાસવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હીની એક કોર્ટે NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની CBI કસ્ટડી 9 માર્ચ સુધી લંબાવી છે. આ કેસમાં તેની 25 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

CBI પાસે કરી આ બે ડીમાન્ડ

આ દરમિયાન સીબીઆઈના સૂત્રોએ બિઝનેસ ટુડે ટીવીને જણાવ્યું છે કે તેમની ધરપકડ બાદ રામકૃષ્ણએ ભગવદ ગીતાની નકલ માંગી હતી. સૂત્રોનું કહેવું છે કે, પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેઓ મૌન રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમને NSE પરના પોતાના નિર્ણયો યાદ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. અને છેતરપિંડીના પુરાવાનો સામનો થવા પર તેમણે ‘મેન્ટલ બ્લોક’નો ઉલ્લેખ કર્યો. જોકે, એનએસઈના પુર્વ સીઈઓ સીબીઆઈને સીધા જવાબ આપી રહ્યા ન હતા. જોકે, લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ દરમિયાન સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ફોરેન્સિક સાયકોલોજિસ્ટની સેવાઓ પણ લીધી હતી.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

શું છે પુરો મામલો ?

પસંદ કરેલા બ્રોકરોને NSE કો-લોકેશન કૌભાંડમાં અયોગ્ય રીતે ફાયદો પહોચાડવામાં આવ્યો હતો. શેર ખરીદ-વેચાણના કેન્દ્ર એવા દેશના મુખ્ય નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક બ્રોકરોને આવી સુવિધા આપવામાં આવી હતી, જેથી તેઓને બાકીના લોકો કરતાં વહેલી તકે શેરની કિંમતો વિશે માહિતી મળી શકે. જેનો ફાયદો ઉઠાવીને તેઓ ભારે નફો કમાતા હતા. તેની તપાસમાં બહાર આવ્યું છે કે  ઓપીજી સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મને ફાયદો પહોંચાડવા માટે તેને કો-લોકેશન ફેસિલીટીઝની ઍક્સેસ આપવામાં આવી હતી. આ સુવિધામાં હાજર બ્રોકર્સ બાકીના લોકો કરતા ઘણો વહેલો તમામ ડેટા મેળવી લે છે.

આ  પણ વાંચો :  Tax Saving FDs: ફિક્સ ડિપોઝીટ માટે કઈ બેંકો વધુ સારી ડીલ ઓફર કરી રહી છે? જાણો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">