AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે બેંકોના વિલફુલ ડિફોલ્ટરો પાસેથી એક એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર.

બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 9:51 PM
Share

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) મંગળવારે કહ્યું કે બેંકોના વિલફુલ ડિફોલ્ટરો (Willful defaulter) પાસેથી એક એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર. તેમણે કહ્યું કે બેંકોમાંથી લીધેલા તમામ પૈસા પાછા લાવવામાં આવશે.

આ સિવાય સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે મળીને કામ કરી રહી છે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે માત્ર વડાપ્રધાન વિકાસ પેકેજ જ નહીં, પરંતુ દરેક કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો લાભ કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થીઓને મળે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સેક્ટરમાં વૃદ્ધિની ગતિ દેશના અન્ય ભાગોની બરાબર હોય.

ડીફોલ્ટરોની સાથે – સાથે રકમ પણ લાવવામાં આવશેઃ સીતારમણ

નવી યોજનાઓની શરૂઆત બાદ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ આ વાત કહી. આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને નાણાકીય સમાવેશ અને લોન મેળવવાની સરળતાના કાર્યક્રમ હેઠળના લાભો સંબંધિત આદેશ પત્રો સોંપ્યા હતા.

સીતારમણે કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરમાં પારદર્શી રીતે વિવિધ કાર્યોને ઝડપી બનાવવા માટે તેના તમામ સંસાધનોનું ઉદારતાથી રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું કે જો બેંકોમાં કોઈ ગડબડ થઈ છે અને લોન લેવામાં આવી છે અને અત્યાર સુધી ચૂકવવામાં આવી નથી તો તેમને વિશ્વાસ છે કે અમારી સિસ્ટમ ડિફોલ્ટરોની સાથે સાથે રકમ પણ પાછી લાવશે.

નાણામંત્રીએ કહ્યું કે આ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને જેઓ જાણી જોઈને લોનમાં ડિફોલ્ટ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે બેંકોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ચિંતાનો વિષય હતો. NPA ઘટાડવા માટે 4Rs વ્યૂહરચના બનાવવામાં આવી હતી. આ હેઠળ આવી બેડ લોનને ઓળખવા, તેને ઉકેલવા, બેંકોમાં મૂડી ઠાલવવા અને સુધારાને આગળ ધપાવવાની પહેલ કરવામાં આવી હતી. તેના કારણે હકારાત્મક પરિણામો પણ આવ્યા હતા.

ડિફોલ્ટર્સની મિલકતો જપ્ત કરવામાં આવી: સીતારમણ

તમને જણાવી દઈએ કે સીતારમણ બે દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીર ગયા છે. તેઓ કાશ્મીરથી જમ્મુ આવ્યા હતા અને સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો જાણીજોઈને બેંકો પાસેથી લીધેલી લોન પરત નથી કરતા તેમની સામે સરકાર આ કેસને કડક રીતે આગળ વધારી રહી છે. તે ડિફોલ્ટર્સ ભારતમાં હોય કે દેશની બહાર, તેમની સામે કેસ આગળ વધારવામાં આવી રહ્યો છે.

સીતારમણે કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે બેંકોની જે લોન છે તે પરત ચુકવવામાં આવ્યુ નથી તેનો એક એક પૈસો વસુલવામાં આવશે. આ માટે આવા ડિફોલ્ટરોની મિલકતો એટેચ કરવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનું વેચાણ અથવા હરાજી કરવામાં આવી છે. આમાંથી જે પૈસા આવ્યા તે બેંકોને આપી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક વિકાસ માટે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : જાણો શું હોય છે SPR, જેમાં નસીબ અજમાવા જઈ રહ્યા છે ભારત અને યુએસ સહિત ચાર દેશ

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
g clip-path="url(#clip0_868_265)">