EPFO: શું વિતેલા નાણાકીય વર્ષ 2023-24નું વ્યાજ તમારા પ્રોવિડન્ડ ફંડના ખાતામાં જમા થઈ ગયું છે ? ફેબ્રુઆરી 2024 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા થયેલા નાણા માટેના વ્યાજ દરની જાહેરાત કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ 2023-24 માટે વ્યાજ દર ગયા વર્ષના 8.15% થી વધારીને 8.25% કર્યો છે. ત્યારે તમારે એ જાણવું જોઈએ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ તમારા ખાતામાં વ્યાજના પૈસા જમા કર્યા છે કે નહીં? તમે તમારા પ્રોવિડન્ડ ફંડનું બેલેન્સ કેવી રીતે ચેક કરશો ?
જેમનો પ્રોવિડન્ડ ફંડ કપાઈને તેમના ખાતામાં જમા થાય છે તેવા ઘણાબધા ખાતા ધારકો એ જાણવા માટે ઉત્સુક હશે કે, તેઓને નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડના ખાતામાં જમા થયેલ રકમ પરનું વ્યાજ ક્યારે મળશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વ્યક્તિએ પુછેલા પ્રશ્નના જવાબમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ આ વાત કહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ લખ્યું છે કે, વિતેલા નાણાકીય વર્ષ 2023-2024ના વર્ષનું વ્યાજ ખાતાધારકોના ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયા કાર્યવાહીમાં છે અને ટૂંક સમયમાં વ્યાજ તમારા ખાતામાં જમા થઈ ગયું હોવાનું જણાશે. કોઈ પણ ખાતાધારકોને વ્યાજની ખોટ નહીં જાય.
વિતેલા નાણાકીય વર્ષ 2022-23નું વ્યાજ, માર્ચ 2024 સુધીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના વર્તમાન 28.17 કરોડ સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
ઉમંગ એપ એ ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ નવા પેઢી માટેની અનેકાપયોગી મોબાઇલ એપ્લિકેશન છે. સામાન્ય લોકોની જરૂરિયાતોને લગતી ઘણી એપ્સ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.
SMS દ્વારા : જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે જેને ટૂંકમાં UAN પણ કહેવાય છે તે, રજિસ્ટર્ડ મોબાઇલ ફોન નંબર સાથે લિંક થયેલો હોય, તો તમે 7738299899 પર SMS મોકલી શકો છો. અહીં તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા મળતા પ્રત્યુતર જાણવા માટે તમારી જાણકારી મુજબની ભાષા પણ પસંદ કરી શકો છો. મેસેજ મોકલ્યાની થોડીક સેકન્ડોમાં તમને SMS દ્વારા તમારા વર્તમાન પ્રોવિડન્ડ ફંડના બેલેન્સની માહિતી મળી જશે.
મિસ્ડ કોલ દ્વારા : જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર, કે જેને ટૂંકમાં UAN પણ કહેવાય છે તે, કોઈ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે જોડાયેલ હોય, તો તમે 011-22901406 પર મિસ્ડ કોલ આપી શકો છો. જે પછી કોલ આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જશે અને તમને SMS દ્વારા તમારા EPFની માહિતી મળશે.