ઘણી કંપનીઓ એર ઈન્ડિયા (Air India sale) ની ખરીદીની રેસમાં છે, પરંતુ ટાટા સન્સ અને સ્પાઇસ જેટના નામ પહેલી હરોળમાં સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયાના કર્મચારીઓનું કન્સોર્ટિયમ આ લિસ્ટમાંથી બહાર થઇ ગયું છે. 8 માર્ચે કંપનીના કમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલિકે કર્મચારીઓને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, કન્સોર્ટિયમ શોર્ટલિસ્ટ થઈ નથી. એક અખબારી અહેવાલ અનુસાર ટાટા સન્સ અને સ્પાઇસ જેટ આ રેસમાં મોખરે છે.
મીનાક્ષી મલિક હાલમાં કર્મચારી કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે ભારત સરકારના ટ્રાન્ઝેક્શન એડવાઇઝર, આર્નેસ્ટ એન્ડ યંગ LLPએ અમને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, અમે ડિસઇન્વેસ્ટમેન્ટ એક્વિઝિશન પ્રક્રિયામાં આગળના તબક્કામાં પહોંચી શક્યા નથી.
પાત્રમાં બોલીમાંથી બહાર નીકળવાનું દુ:ખ વ્યક્ત કરાયું
પત્રની નકલ સામે આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ દુ:ખ સાથે અહેવાલ આપવામાં આવી રહ્યો છે કે, અમે એર ઈન્ડિયાની બોલીમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ અમે છેલ્લા કેટલાક મહિનામાં જે પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે.
આગળ શું રહેશે પ્રક્રિયા
મલિકે આ પત્રમાં E&Y ના મેઈલનો એક હિસ્સો ઉમેર્યો છે, જેમાં જણાવાયું છે કે EOI અને અમારા વતી સબમિટ થયેલા અન્ય દસ્તાવેજોની આકારણી કર્યા પછી, અમને જાણવા મળ્યું છે કે, એર ઇન્ડિયાના સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ (PIM) ની શરતો પૂર્ણ કરી શક્યા નથી. તેથી તે આગળ વધારી શકાય નહીં.
કેટલાક કારણો એવા છે કે તેઓને બોલીમાં શામેલ કરવામાં આવ્યા ન હતા. વિદેશી કન્સોર્ટિયમના છેલ્લા ત્રણ વર્ષના ફાયનાન્શીયલ સ્ટેટમેન્ટની ઓડિટ રિપોર્ટ. આ સિવાય કોઈ પણ ઓફશોર કંપનીમાં રોકાણ સંબંધિત માહિતી આપવામાં આવી નથી. PIMની શરતો અનુસાર, વિદેશી કન્સોર્ટિયમ સભ્યો વિદેશી રોકાણ ભંડોળનું યોગ્ય રીતે નિયમન કરતા નથી. આ બધાના આધારે કર્મચારી કન્સોર્ટિયમની અરજીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.