ટાટા, બિરલા, અંબાણી શા માટે નથી કરતા મોટા પાયે છટણી, મસ્ક અને ઝુકરબર્ગે શીખવી જોઇએ આ સ્ટ્રેટર્જી

કંપની ભારે દેવા હેઠળ દબાઈ રહી છે. કંપની ઘણી વખત બંધ થવા પર પણ આવી ચુકી છે, પરંતુ તે પછી પણ કંપનીએ એકસાથે 11000 લોકોને બહાર ન લેવાનો નિર્ણય લીધો હતો.

ટાટા, બિરલા, અંબાણી શા માટે નથી કરતા મોટા પાયે છટણી, મસ્ક અને ઝુકરબર્ગે શીખવી જોઇએ આ સ્ટ્રેટર્જી
Mukesh Ambani, Ratan Tata, Elon Musk and Mark Zukerberg
| Edited By: | Updated on: Nov 10, 2022 | 1:30 PM

ટ્વિટર અને ફેસબુકમાં બલ્ક-લેવલની છટણી થઇ છે, આ કંપનીઓ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં સામેલ છે, તેણે સમગ્ર ઉદ્યોગને સ્થગિત કરી દીધો છે. એલોન મસ્ક દ્વારા Twitter માંથી મોટા પ્રમાણમાં છટણી. ત્યારબાદ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પરથી એક જ ઝાટકે 11000 લોકોને છૂટા કરવાનો આદેશ આપ્યો. આ કંપનીઓમાં વર્ષોથી કામ કરી રહેલા કર્મચારીઓ માટે આ એક મોટો આંચકો તો છે જ, સાથે જ આ કંપનીઓની વ્યૂહરચના પર પણ સવાલો ઉભા કરે છે. આ નિર્ણયોથી એ સવાલ પણ ઉઠવા લાગ્યો છે કે અબજો ડોલરની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ સામે આવી સ્થિતિ કેમ આવી?

ભારતના મોટા કોર્પોરેટ હાઉસની વાત કરીએ તો અહીં આવી મોટાપ્રમાણમાં છટણી ક્યારેય કરવામાં આવતી નથી. મુકેશ અંબાણીની રિલાયન્સ હોય કે બિરલાની વોડાફોન હોય કે ટાટા ગ્રુપની કંપનીઓ આમા આવી મોટા પ્રમાણમાં છટણી કંપનીઓમાં ક્યારેય જોવા મળતી નથી. આખરે એવું તો શું છે કે આ કંપનીઓમાં આવા નિર્ણયો લેવાતા નથી. ચાલો જાણીએ.

વોડાફોને મોટા પ્રમાણમાં છટણી કરી નથી

જો આપણે આદિત્ય બિરલા ગ્રુપના વોડાફોન-આઈડિયાની વાત કરીએ તો આ કંપની ભારે દેવાના બોજનો સામનો કરી રહી છે. કંપની આર્થિક રીતે ઝઝુમતી હોવા છતા ક્યારેય એક સાથે મોટાપ્રમાણમાં લોકોને છટણી કરવાનો નિર્ણય લીધો નથી . લોકોને હાંકી કાઢવાને બદલે, આદિત્ય બિરલા ગ્રૂપની માલિકીની આ કંપની સતત ભંડોળ એકત્ર કરવાનું કામ કરી રહી છે. છતા મોટા પ્રમાણમાં છટણી ટાળી છે.

વ્યૂહરચનામાં તફાવત

હકીકતમાં, ડિજિટલ યુગમાં વધતી સ્પર્ધાએ ફેસબુક અને ટ્વિટર જેવા મોટા દિગ્ગજો માટે પણ સમસ્યા ઊભી કરી છે. માર્ક ઝુકરબર્ગ પોતે કહે છે કે તે ઉત્સાહથી વધુ પડતી હાયરિંગ કરે છે. બાદમાં છટણીની જરૂર પડે છે. બીજી બાજુ, જો આપણે રિલાયન્સ અથવા ટાટા ગ્રૂપ જેવા ભારતીય દિગ્ગજો વિશે વાત કરીએ, તો અહીં પણ નફો કમાવવા પર ફોકસ છે, પરંતુ આ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આનું સૌથી મોટું ઉદાહરણ રિલાયન્સ જિયો છે. જ્યારે રિલાયન્સ જિયો માર્કેટમાં આવ્યું ત્યારે તેનું વિઝન સ્પષ્ટ હતું કે માર્કેટમાં તેનો પ્રવેશ ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે તે ગ્રાહકોને લાભ આપી શકે. તેથી કંપનીએ સ્ટેપ બાય માર્કેટ કબજે કરવાનું શરૂ કર્યું.

ટાટા જૂથની વ્યૂહરચના

ટાટા ગ્રૂપની વાત કરીએ તો મીઠાથી લઈને જહાજ સુધીના આ ગ્રૂપની સ્ટ્રેટર્જી રહી છે કે ધીમી ચાલ ચાલો પણ લાંબા સમય સુધી ટકી રહો. આનું સૌથી મોટું ઉદાહરણ રિટેલ સેક્ટરમાં ટાટાની એન્ટ્રી હતી. આ સેક્ટરમાં પહેલાથી જ ઘણા દિગ્ગજો હતા, ત્યારબાદ મુકેશ અંબાણીની રિલાયન્સે પણ આ સેક્ટરમાં જોરદાર ધૂમ મચાવી હતી, પરંતુ ટાટાએ પોતાની વ્યૂહરચના ચાલુ રાખી. ફેસબુક અને ટ્વિટર જેવા માર્કેટ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો કરી રહ્યા છે પરંતુ, યોગ્ય વ્યુહરચનાના અભાવે છટણી જેવા મોટા નિર્ણયો લેવા પડે છે.