AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી નોકરી છૂટી જાય તો પણ ચિંતિત થશો નહીં, તમારું EPF એકાઉન્ટ કમાણી આપશે, જાણો કઈ રીતે?

નોકરી છૂટ્યા પછી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ને ટ્રાન્સફર કર્યું નથી તો તેમના પીએફ ખાતાનું શું થાય છે? અને નોકરી છોડ્યા પછી તેમાં જમા થયેલ રકમ મળશે કે નહિ તે પ્રશ્નો ઉઠે છે.

જો તમારી નોકરી છૂટી જાય તો પણ ચિંતિત થશો નહીં, તમારું EPF એકાઉન્ટ કમાણી આપશે, જાણો કઈ રીતે?
File Photo
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:56 AM
Share

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી. કંપનીઓએ મુશ્કેલ સંજોગોમાં ખર્ચ ઘટાડવા માટે ઘણા કડક નિર્ણયો લીધા હતા. આ સમય દરમિયાન, લાખો લોકોની નોકરીઓ ગુમાવી છે. તે જ સમયે, સંક્ર્મણના ભયને લીધે ઘણા લોકો મોટા શહેરો છોડીને નાના શહેરો, નગરો અને ગામોમાં સ્થળાંતર કર્યું છે. જો કે, આ સમય દરમિયાન કેટલાક લોકો હાલની કંપની છોડીને બીજી કંપનીમાં જોડાયા હતા. ખરેખર, ઘણા લોકો નોકરી છોડ્યા પછી તેમના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ને ટ્રાન્સફર કર્યું નથી તો તેમના પીએફ ખાતાનું શું થાય છે અને નોકરી છોડ્યા પછી તેમાં જમા થયેલ રકમ મળશે કે નહિ તે પ્રશ્નો ઉઠે છે.

નોકરી છોડ્યા પછી પણ પીએફ ખાતામાં પડેલી રકમ પર વ્યાજ મળશે મોટાભાગના લોકો જે નોકરી છોડી દે છે તેઓ સંતુષ્ટ છે કે ભલે તેઓ તેમના પીએફ ખાતામાં રોકાણ નથી કરી રહ્યા છતાં પણ તેમની થાપણો વ્યાજના કારણે વધી રહી છે. પ્રથમ 36 મહિનામાં કોઈ ફાળો નથી મળ્યો, ત્યારબાદ કર્મચારીનું પીએફ ખાતું In-Operative Accountની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે તમારા એકાઉન્ટને સક્રિય રાખવા માટે ત્રણ વર્ષ પહેલાં થોડી રકમ ઉપાડવી પડશે. હાલના નિયમો હેઠળ, જો કર્મચારી 55 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે અને 36 મહિનાની અંદર થાપણ પરત ખેંચવા માટે અરજી કરતું નથી તો પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. સરળ શબ્દોમાં સમજો, કંપની છોડ્યા પછી પણ પીએફ ખાતા પર વ્યાજ ચૂકવવામાં આવશે અને 55 વર્ષની વય સુધી નિષ્ક્રિય નહીં થાય.

નોકરી છોડ્યા પછી પીએફ રકમના વ્યાજ પર ટેક્સ લાગે છે નિયમો અનુસાર, જો યોગદાન કરવામાં ન આવે તો પીએફ એકાઉન્ટ બિનકાર્યક્ષમ નથી પરંતુ આ સમય દરમિયાન મળેલા વ્યાજ પર ટેક્સ લાગે છે. જો પીએફ ખાતું નિષ્ક્રિય થયા પછી પણ દાવા કરવામાં ન આવે તો રકમ સિનિયર સિટિઝન્સ વેલ્ફેર ફંડ (SCWF) ને જાય છે. જો કે, સાત વર્ષ ખાતું નિષ્ક્રિય રહ્યા પછી દાવેદાર રકમ આ ભંડોળમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">