AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી

Cryptocurrency Bill: સૂત્રોનું કહેવું છે કે સરકાર ક્રિપ્ટોને લઈને કોઈ પ્રકારની ઉતાવળમાં નથી. આવો જાણીએ સમગ્ર મામલો.

આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:51 PM
Share

સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ (bill on cryptocurrency) આવે તેવી શક્યતા નથી. આ મુદ્દે હજુ ઘણી ચર્ચા થવાની બાકી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યાં સુધી તેની સંપૂર્ણ ચર્ચા અને વિચારણા કરવામાં ન આવે, ત્યાં સુધી ક્રિપ્ટો બિલ લાવવામાં નહીં આવે. સૂત્રોનું કહેવું છે કે સરકાર ક્રિપ્ટોને લઈને કોઈ પ્રકારની ઉતાવળમાં નથી.  તમને જણાવી દઈએ કે અગાઉ આ બિલને સત્ર એટલે કે ચોમાસુ સત્રમાં (monsoon session) સામેલ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ મુદ્દાને જલ્દીથી ઉકેલવા માટે કડક પગલાં લેવા જણાવ્યું હતું. આ સિવાય RBI પણ આ અંગે કડક વલણ અપનાવી રહી છે. રિઝર્વ બેંકના ગવર્નરે તેને મોટો ખતરો ગણાવ્યો છે.

ક્રિપ્ટોકરન્સી શું હોય છે

તેની શરૂઆત 2008ની નાણાકીય કટોકટીથી થઈ છે. જ્યારે લોકોનો બેંકિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. 2009માં એક જાપાની વૈજ્ઞાનિક સાતોશી નાકામોતોએ બિટકોઈનની શોધ કરી હતી. તે સમયે કોઈને ખબર ન હતી કે તે શું છે. પછી તેને ક્રિપ્ટો કરન્સી કહેવામાં આવી. ગ્રીક ભાષામાં ક્રિપ્ટો એટલે ગુપ્ત એટલે કે ગુપ્ત ચલણ.

શું છે સરકારની તૈયારી

જો સૂત્રોનું માનીએ તો 23 ડિસેમ્બરે પૂરા થનારા શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ક્રિપ્ટોકરન્સી કાયદો રજૂ કરવામાં આવશે નહીં. સંસદના બંને ગૃહોના કાર્યસૂચિમાં બિલનો કોઈ ઉલ્લેખ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિપ્ટોકરન્સી બિલ પર હજુ કામ ચાલી રહ્યું છે અને સરકાર હજુ પણ નિયમનકારી જોગવાઈઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે.

સરકાર સમક્ષ ખરી સમસ્યા શું છે

ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021ને લઈને ઉદ્યોગમાં વિવાદ છે. આનું કારણ બિલ અંગે લોકસભાની વેબસાઈટ પરની એક ટિપ્પણી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેનો હેતુ ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો છે. પરંતુ ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં દેશમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી છે, કારણ કે રોકાણકારો નિયમન અંગે સ્પષ્ટ ચિત્રની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Hindu Ekta Mahakumbh: મોહન ભાગવતે, ધર્મ છોડનારાઓને ઘર વાપસીના શપથ લેવડાવ્યા, કહ્યું- તમારા માટે નહીં પરંતુ તમારા પ્રિયજનો માટે કરો કામ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">