PM Awas Yojana માં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો, DHFLનાં ડાયરેક્ટર્સ વધવન બ્રધર્સએ હજારો કરોડ ચાઉં કર્યા

|

Mar 25, 2021 | 7:16 AM

PM Awas Yojana scam: CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.આ કેસમાં CBIએ DHFLના ડિરેક્ટર કપિલ વધવન અને ધીરજ વધવનને આરોપી બનાવ્યા છે અને કેસ દાખલ કર્યો છે.

PM Awas Yojana માં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો, DHFLનાં ડાયરેક્ટર્સ વધવન બ્રધર્સએ હજારો કરોડ ચાઉં કર્યા

Follow us on

PM Awas Yojana scam: CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.આ કેસમાં CBIએ DHFLના ડિરેક્ટર કપિલ વધવન અને ધીરજ વધવનને આરોપી બનાવ્યા છે અને કેસ દાખલ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઈએ કહ્યું કે બંને ભાઈઓ બનાવટી હોમ લોન એકાઉન્ટ બનાવ્યા હતા. હોમ લોનની રકમ 14000 કરોડ આસપાસ છે અને આ બંને ભાઈઓ દ્વારા વ્યાજ સબસિડીથી 1880 કરોડ મેળવાયા છે.

બંને ભાઇઓ છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં હાલ જેલમાં છે. PM આવાસ યોજના ઓક્ટોબર 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના housing for all ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા લોકોને હોમ લોન પરના વ્યાજ સબસિડીનો લાભ મળે છે. સબસિડીનો દાવો DHFL જેવી નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જો તમે આ યોજના હેઠળ કોઈ બેંક પાસેથી લોન લીધી હોય તો તે બેંક સરકારની સબસિડીનો દાવો કરે છે.

88,651 હોમ લોન માટે પ્રોસેસ કરાઈ
CBI અનુસાર ડિસેમ્બર 2018 માં DHFLએ તેના રોકાણકારોને કહ્યું કે તેણે પીએમ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 88,651 હોમ લોન પર પ્રક્રિયા કરી છે. આના માધ્યમથી તેણે 539 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે અને 1347 કરોડની સબસિડી મળવાની બાકી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2.6 લાખ બનાવટી હોમ લોન ખાતા બનાવ્યા
ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ મુજબ કપિલ અને ધીરજ વધવાને પીએમ આવાસ યોજના હેઠળ સબસિડી મેળવવા માટે 2.6 લાખ નકલી હોમ લોન એકાઉન્ટ્સ બનાવ્યા હતા. હોમ લોન એકાઉન્ટ તૈયાર કર્યા પછી સબસિડીનો લાભ લેવામાં આવ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર 2007 અને 2019 ની વચ્ચે આ ખાતાઓ પર 14046 કરોડની હોમ લોન થઈ હતી. આમાંથી 11755 કરોડ રૂપિયા નકલી કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Next Article