કોરોનાના કારણે હવાઈયાત્રા માટે લદાયેલી બેગેજની પાબંદીઓમાંથી મુક્તિ અપાઈ, લિમિટ નક્કી કરવાની સત્તા સરકારે એરલાઈન્સને સોંપી

|

Sep 26, 2020 | 7:41 PM

લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી […]

કોરોનાના કારણે હવાઈયાત્રા માટે લદાયેલી બેગેજની પાબંદીઓમાંથી મુક્તિ અપાઈ, લિમિટ નક્કી કરવાની સત્તા સરકારે એરલાઈન્સને સોંપી

Follow us on

લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી નિર્ણય એરલાઇન્સ કંપનીઓ ઉપર છોડયો છે. જે બાદ એરલાઇન્સ વધુ સમાન માટે પરવાનગી આપવા જઈ રહી છે. એરલાઇન્સ કંપનીઓ ઓછા મુસાફરોની સમસ્યા સાથે સ્પર્ધાત્મક યુગમાં મુસાફરોને પોતાના તરફ વાળવા સરકારનો નિર્ણય મહત્વનો સાબિત શકે છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

25 મેથી ડોમેસ્ટિક સર્વિસ શરૂ કરાયા બાદ બેગેજ ઉપર મર્યાદાઓ લાદી દેવાઈ હતી. ચેક ઈન સમયે એક બેગેજ અને એક હેન્ડ બેગની પરવાનગી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ બેગેજ સંબંધિત પાબંદીઓ હટાવી બેગેજ લિમિટની સત્તા એરલાઇન્સ કંપનીઓને તેમની પોલિસી મુજબ નિર્ણય કરવા આપી દીધી છે. 3 મહિના ઠપ્પ રહ્યા બાદ શરૂ કરાયેલી હવાઈ યાત્રામાં હાલ માત્ર 60 ટકા વિમાન સેવા કાર્યરત છે. કોરોના મહામારી પૂર્વે એર ઈન્ડિયા 20 કિલો અને પ્રાઈવેટ એરલાઈન્સ 15 કિલો સુધીના સમાનની પરવાનગી આપતી હતી. સરકારના નિર્દેશ બાદ તમામ કંપનીઓએ કોરોનાકાળના  લગેજ સંબંધી પ્રતિબંધો  દૂર કરી 20 અને 15 કિલો વજનના લગેજ સાથે સફર કરવા પરવાનગી આપવા ઉપર વિચાર શરુ કરી દીધો છે. જેની ઉપર ટૂંક સમયમાં પાલન પણ શરૂ કરી દેવાશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article