AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના મહામારીની નકારાત્મક અસર: એર એશિયા ભારતમાંથી પોતાનો કારોબાર સમેટવાની તૈયારીમાં

એશિયામાં બજેટ એરલાઈનની ક્રાંતિ લાવનાર  એર એશિયા ભારતમાં પોતાનો કારોબાર સમેટી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ બાબતના સંકેત આપ્યા છે. એર એશિયાએ ચંદીગઢથી પોતાની ફ્લાઈટ બંધ કરવા બાબતે નિવેદન આપતા પુરીએ કહ્યું હતું કે  એર એશિયાની દુકાન બંધ થવાની છે તેની પેરેન્ટ કંપનીમાં પ્રોબ્લમ છે. આ સંકેત સ્પષ્ટ કરે છે કે એર […]

કોરોના મહામારીની નકારાત્મક અસર: એર એશિયા ભારતમાંથી પોતાનો કારોબાર સમેટવાની તૈયારીમાં
Ankit Modi
| Edited By: | Updated on: Oct 07, 2020 | 1:31 PM
Share

એશિયામાં બજેટ એરલાઈનની ક્રાંતિ લાવનાર  એર એશિયા ભારતમાં પોતાનો કારોબાર સમેટી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ બાબતના સંકેત આપ્યા છે. એર એશિયાએ ચંદીગઢથી પોતાની ફ્લાઈટ બંધ કરવા બાબતે નિવેદન આપતા પુરીએ કહ્યું હતું કે  એર એશિયાની દુકાન બંધ થવાની છે તેની પેરેન્ટ કંપનીમાં પ્રોબ્લમ છે. આ સંકેત સ્પષ્ટ કરે છે કે એર એશિયા ભારતમાંથી વેપાર સમેટી ભારતમાં કારોબાર બંધ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે એરલાઇન્સ કંપનીઓને ભારે નુકશાનનો સામનો કરવો પડયો છે.

એર એશિયાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયામાં મોટો હિસ્સો ટાટા ગ્રૃપનો છે. મલેશિયાની આ એરલાઈન એક સમયે એશિયામાં સૌથી સસ્તી વિમાન સેવા ઉપલબ્ધ કરાવતી હતી જેણે એરલાઇન્સ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી . કોરોના સંકટને કારણે એરલાઈન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

એર એશિયા કંપની જાપાનમાં પણ પોતાનો કારોબાર બંધ કરવાનું વિચારી રહી છે. ભારતમાં તેની હિસ્સેદારી 6.8 ટકા છે . એરલાઇન્સ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 3000થી પણ વધારે છે. ટાટાની એર એશિયામાં 51 ટકા ભાગીદારી છે જે હવે 49 ટકાની ભાગીદારી પણ ખરીદવા વિચાર કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">