આમ આદમીને ડુંગળી નહીં રડાવે, ડુંગળીના નિકાસ પર સરકારનો મોટો નિર્ણય

|

Mar 23, 2024 | 6:27 PM

દેશમાં ડુંગળીના ભાવ વધતા રોકવા માટે સરકારે ડિસેમ્બર મહિનામાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જો કે તેની સમય મર્યાદા 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સરકારે સામાન્ય માણસને ડુંગળી ન રડાવે તે રીતનું આયોજન કર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આમ આદમીને ડુંગળી નહીં રડાવે, ડુંગળીના નિકાસ પર સરકારનો મોટો નિર્ણય

Follow us on

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને આગામી આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે.

આ અંગે સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું

સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ 22 માર્ચે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે. વાણિજ્ય મંત્રાલયની એક પાંખ DGFT નિકાસનું નિયમન કરે છે અને આયાત સંબંધિત મુદ્દાઓ પર નિર્ણયો લે છે. સરકારે 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. રવિ સિઝન, 2023માં ડુંગળીનું ઉત્પાદન 2.27 કરોડ ટન રહેવાનો અંદાજ છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

છૂટક બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ

મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસને આંતર-મંત્રાલય જૂથની મંજૂરી મળ્યા પછી કેટલાક વિશેષ કિસ્સાઓમાં મંજૂરી આપવામાં આવે છે. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા UAE અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. અગાઉ, કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે ઓક્ટોબર 2023માં છૂટક બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર ડુંગળીના સ્ટોકનું વેચાણ વધારવાનો નિર્ણય લીધો હતો.

ડિસેમ્બરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ 31 માર્ચ 2024 સુધી હતી. હવે સરકારે તેને આગામી આદેશ સુધી લંબાવ્યો છે. હવે નવા પાક પણ બજારમાં આવવા લાગ્યા છે. જ્યારથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી તેના ભાવ અડધા કરતા પણ ઓછા થઈ ગયા છે.

આ પણ વાંચો: PM Modi On Election: અમે લોકશાહીના સૌથી મોટા તહેવાર માટે તૈયાર છીએ, લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીનું પહેલું ટ્વિટ

Next Article