
ભારતમાં 15 ઓક્ટોબરથી લાગુ થઈ રહેલા 2,000 રુપિયાથી વધારેના મર્ચેન્ટ ટ્રાન્જેક્શન પર 0.4% મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટના નિયમોએ માત્ર ઘરેલું ઉપયોગકર્તાઓને જ નહી પરંતુ વિદેશી પ્રવાસ પર જનારા ભારતીય પ્રવાસીઓ અને બિન-નિવાસી ભારતીયો (NRIs) પણ ઉત્સુક બન્યા છે.નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા NIPL હેઠળ વર્તમાનમાં ફ્રાન્સ, સિંગાપુર, યુએઈ, નેપાળ અને મોરીશસ સહિત 11 પ્રમુખ દેશોમાં યુપીઆઈ સેવાઓ એક્ટિવ છે.
ત્યારબાદ એ સવાલ ચર્ચામાં આવી રહ્યો છે કે, શું વૈશ્વિક સ્તર પર વિદેશી ક્યુઆર કોડ સ્કૈન કરી ચૂકવણી કરવા પર પણ આ નવી ફી સિસ્ટમની થોડી અસર થશે.એનસીપીસીઆઈ અને નાંણાકીય મામલેના વિશેષજ્ઞો અનુસાર ઈન્ટરનેશનલ લેવલ પર યુપીઆઈ સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન ક્રોસ બોર્ડર ફોરેક્સ નિયમો અને વિદેશી પાર્ટનર બેંકોની સાથે થયેલા કરારના આધાર પર સંચાલિત થશે. ઘરેલું સ્તર પર લાગુ થનારા 0.4% MDR ઢાંચો માત્ર ભારતમાં રજિસ્ટર્ડ વેપારીઓ (P2M) પર કેન્દ્રિત છે.
આનો અર્થ એ છે કે વિદેશમાં UPI દ્વારા ચુકવણી કરનારા ભારતીય પ્રવાસીઓ પર આ વધારાની સ્થાનિક MDR ફીનો બોજ નહીં પડે, અને તેમની આંતરરાષ્ટ્રીય ડિજિટલ ચુકવણી પ્રક્રિયા પહેલાની જેમ પારદર્શક અને સરળ રહેશે.
NPCI નું ઈન્ટરનેશનલ આર્મ NIPL (NPCI International Payments Limited)ના હેઠળ UPIની સેવા દુનિયાના 11 મુખ્ય દેશમાં એક્ટિવ છે.
યુરોપ અને મધ્ય પૂર્વ: ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, ગ્રીસ.
દક્ષિણ અને પૂર્વ એશિયા: સિંગાપોર, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, માલદીવ, કંબોડિયા, મોરેશિયસ.
ગ્રાહકો માટે શૂન્ય ચાર્જ : NPCI અને નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI સંપૂર્ણપણે મફત રહેશે. તમે ભારતમાં ચા ખરીદો કે ફ્રાન્સમાં પેસ્ટ્રી ખરીદો, કોઈ સીધો UPI શુલ્ક નહીં લાગે.
P2P ટ્રાન્સફર પર કોઈ અસર નહી: વ્યક્તિ થી વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરવા પર શૂન્ય ચાર્જની વ્યવસ્થા લાગુ રહેશે.
આતંરરાષ્ટ્રીય મર્ચેન્ટ ફીની વ્યવસ્થા: 15 ઓક્ટોબર 2026થી લાગુ થઈ રહેલા 0.4% MDR માત્ર ભારતના રજિસ્ટ્રેસ્ટર્ડ મર્ચન્ટને (P2M) ને લાગુ પડે છે. વિદેશમાં UPI સ્વીકારતા આઉટલેટ્સ આંતરરાષ્ટ્રીય ચલણ વિનિમય (ફોરેક્સ દર) અને NIPLની વિદેશી પાર્ટનર બેંકો દ્વારા નિર્ધારિત નિયમોના આધારે કાર્ય કરે છે. ભારતીય MDR નિયમો વિદેશમાં વેપારી ચુકવણી માટે ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ લાગતો નથી.
જ્યારે કોઈ ભારતીય યુઝર સિંગાપુરના ચાંગી એરપોર્ટ અથવા ફ્રાન્સના એફિલ ટાવરની આસપાસ યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેન કરે છે.
યુઝરના ભારતીય બેંક ખાતામાંથી સીધા ભારતીય રુપિયા કપાય છે.
સરકારે જાહેરાત કરી છે કે ભારતમાં 2,000 થી વધુના “ક્લિક-એન્ડ-પે” UPI વ્યવહારો માટે વેપારી ચુકવણીઓ પર નાનો ચાર્જ લાગશે, જોકે વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો માટે કોઈ ચાર્જ લાગશે નહીં. નવું UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માળખું 15 ઓક્ટોબરથી અમલમાં આવશે.વિદેશમાં UPIનો ઉપયોગ કરતા અને તે દેશોમાં રહેતા ભારતીય પ્રવાસીઓને નવા MDR નિયમો વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમની આંતરરાષ્ટ્રીય UPI ડિજિટલ ચુકવણી પ્રક્રિયા પહેલાની જેમ સુરક્ષિત અને મફત રહેશે.