AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અનિલ અંબાણીની ચિંતા વધી ! રિલાયન્સ ઇન્ફ્રા સામે શરૂ થઈ મોટી કાર્યવાહી, EDએ દરોડા પાડ્યા

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ 'રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, વિદેશમાં ગેરકાયદેસર નાણાં મોકલવાના આરોપો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Breaking News : અનિલ અંબાણીની ચિંતા વધી ! રિલાયન્સ ઇન્ફ્રા સામે શરૂ થઈ મોટી કાર્યવાહી, EDએ દરોડા પાડ્યા
| Updated on: Sep 30, 2025 | 6:11 PM
Share

અનિલ અંબાણી ગ્રુપની કંપની ‘રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ સામે FEMA તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ અને ઇન્દોરમાં મહુમાં ઓછામાં ઓછા 6 પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દરોડા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે વિદેશમાં ગેરકાયદેસર નાણાં મોકલવાના આરોપો પર તપાસનો એક ભાગ હતો.

ED પહેલાથી જ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા) સહિત ગ્રુપ કંપનીઓ દ્વારા 17,000 કરોડ રૂપિયાથી વધુની કથિત નાણાકીય અનિયમિતતાઓ અને સામૂહિક લોન “ડાયવર્ઝન” ની તપાસ કરી રહી છે, જે મની લોન્ડરિંગની ફોજદારી જોગવાઈઓ હેઠળ છે.

આર ઇન્ફ્રાએ CLE સાથેની સંડોવણી છુપાવી હતી

PMLA (Prevention of Money Laundering Act, 2002) હેઠળ એજન્સીની કાર્યવાહી ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ (SEBI) ના અહેવાલ બાદ શરૂ કરવામાં આવી હતી. દાવામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, R ઇન્ફ્રાએ CLE નામની કંપની દ્વારા ઇન્ટર-કોર્પોરેટ ડિપોઝિટ (ICDs) ના રૂપમાં જે ભંડોળ હતું તે રિલાયન્સ ગ્રુપ કંપનીઓમાં ડાયવર્ટ કર્યું હતું. કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, શેરધારકો અને ઓડિટર્સથી મંજૂરી ટાળવા માટે આર ઇન્ફ્રાએ CLE સાથેની તેની સંડોવણી છુપાવી હતી.

આ આરોપ લગભગ 10 વર્ષ જૂનો

જો કે, રિલાયન્સ ગ્રુપે અગાઉ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો અને કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રૂ. 10,000 કરોડના કથિત ગેરરીતિનો આરોપ લગભગ 10 વર્ષ જૂનો છે. કંપનીએ તેની નાણાકીય માહિતીમાં જણાવ્યું હતું કે, તેનું એક્સપોઝર ફક્ત રૂ. 6,500 કરોડ હતું.

રિલાયન્સ ઇન્ફ્રામાં જૂન 2025 માં અનિલ અંબાણી પાસે 0.03%, તેમની વાઈફ ટીના અંબાણી પાસે 0.03% અને દીકરા જય અનમોલ અંબાણી પાસે પણ 0.03% ની હિસ્સેદારી છે. વધુમાં અનિલ અંબાણીની માતા કોકિલા અંબાણી પાસે 0.07%ની હિસ્સેદારી છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે લગભગ 6 મહિના પહેલા 9 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ કંપનીએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા હાથ ધરવામાં આવેલી ફરજિયાત મધ્યસ્થી કાર્યવાહી અને બોમ્બે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલ મધ્યસ્થી દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે તેના ₹6,500 કરોડના રોકાણના 100% વસૂલવા માટે કરાર કર્યો હતો.” કંપનીના નિવેદન મુજબ, અનિલ અંબાણી ત્રણ વર્ષથી વધુ સમયથી (માર્ચ 2022 થી) આર ઇન્ફ્રાના બોર્ડથી જોડાયેલા નથી.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">