GST કલેક્શન સરકારને મોટી સફળતા, ડિસેમ્બરમાં ટેક્સ કલેક્શનમાં 15 ટકાનો વધારો

|

Jan 01, 2023 | 9:39 PM

Gst Collection : ડિસેમ્બર 2022માં GSTની આવક 15 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડને પાર કરી ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ માહિતી આપી છે.

GST કલેક્શન સરકારને મોટી સફળતા, ડિસેમ્બરમાં ટેક્સ કલેક્શનમાં 15 ટકાનો વધારો

Follow us on

નાણા મંત્રાલયના જણાવ્યા  અનુસાર ડિસેમ્બર 2022માં GSTની આવક 15 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડને પાર કરી ગઈ છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2022 દરમિયાન કુલ જીએસટી આવક 1,49,507 કરોડ રૂપિયા એકત્ર થઈ છે. જેમાં સીજીએસટી રૂ. 26,711 કરોડ, એસજીએસટી રૂ. 33,357 કરોડ, આઇજીએસટી રૂ. 78,434 કરોડ (જેમાં માલની આયાત પર એકત્ર કરાયેલા રૂ. 40,263 કરોડનો સમાવેશ થાય છે) અને સેસ રૂ. 11,005 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 850 કરોડ સહિત) રહ્યુ છે.

સળંગ 10મા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુની આવક

ડિસેમ્બર સતત 10મો મહિનો છે, જ્યારે જીએસટીની આવક રૂ. 1.40 લાખ કરોડથી વધુ રહી છે. નવેમ્બર 2022 માં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માંથી કલેક્શન લગભગ 1.46 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર 2022ની આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 15 ટકા વધુ છે.

મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 8 ટકા રહી હતી અને ઘરેલું ટ્રાંન્ઝેક્શન (જેમાં સેવાઓની આયાતનો સમાવેશ થાય છે) ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થયેલી આવક કરતાં 18 ટકા વધુ હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નવેમ્બર 2022 ના મહિના દરમિયાન, 7.9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ઓક્ટોબર 2022 માં જનરેટ થયેલા 7.6 કરોડ ઈ-વે બિલ કરતાં ઘણું વધારે હતું.

GST શું છે?

તમને જણાવી દઈએ કે GST એક એવો કર છે, જે ભારતમાં ઉત્પાદનો અને સેવાઓની સપ્લાય પર વસૂલવામાં આવે છે. અગાઉના પરોક્ષ કર (VAT), સર્વિસ ટેક્સ, પરચેઝ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને અગાઉના ઘણા પરોક્ષ કરને બદલવા માટે 2017 માં તેનો અમલ કરવામાં આવ્યો હતો. ભારતમાં જીએસટી માટે નોંધણીની મર્યાદા અગાઉ 20 લાખ રૂપિયા હતી. હવે તે વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે રૂ. 40 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ વ્યવસાયો માટે જીએસટી નોંધણી કરાવવી જરૂરી છે.

રેસ્ટોરન્ટની વાર્ષિક કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ છે તો GST માટે રજિસ્ટ્રેશન કરાવવું

GST 2017 હેઠળ નોંધણી કરાવવા માટે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ટર્નઓવર રૂ. 10 લાખ હોવું જોઈએ. મોટાભાગના રાજ્યોમાં, 20 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતી રેસ્ટોરન્ટને GST માટે નોંધણી કરાવવી પડે છે. બીજી તરફ સ્પેશિયલ કેટેગરીના રાજ્યમાં રેસ્ટોરન્ટની વાર્ષિક કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ છે તો GST માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Next Article