AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકની સેવાઓ સંબંધિત આ ત્રણ નિયમોમાં ફેરફાર થયો, જાણો શું પડશે અસર

જો તમે સમયાંતરતે બેન્કની અલગ અલગ સેવાઓનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ફેબ્રુઆરીથી  ત્રણ  નિયમોમાં મહત્વના ફેરફાર થયા છે.

બેંકની સેવાઓ સંબંધિત આ ત્રણ નિયમોમાં ફેરફાર થયો, જાણો શું પડશે અસર
બેંક સંબંધિત ત્રણ નિયમોમાં ફેરફાર થયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:21 AM
Share

જો તમે સમયાંતરતે બેન્કની અલગ અલગ સેવાઓનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ફેબ્રુઆરીથી  ત્રણ  નિયમોમાં મહત્વના ફેરફાર થયા છે. સ્ટેટ બેંક (SBI), બેંક ઓફ બરોડા(BOB) અને પંજાબ નેશનલ બેંક(PNB) ના તમે આ બેંકોના ગ્રાહકને તે સીધી અસર કરે છે.

SBI ના ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે

SBIના જૂના સ્લેબમાં રૂ.1000 સુધીના મની ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ નથી. તે મફતમાં ચાલુ રહેશે. રૂ.1000 થી રૂ.10000 સુધીના IMPS પર રૂ. 2 વત્તા GST વસૂલવામાં આવે છે. રૂ.10000 થી રૂ.100000 સુધીની IMPS પર વ્યક્તિએ રૂ.4 વત્તા GST ચૂકવવો પડે છે. રૂ.100000 થી રૂ.2000000 સુધીના IMPS પર 12000 ઉપરાંત GST ચૂકવવો પડશે. સ્ટેટ બેંકે તેના માટે નવો સ્લેબ ઉમેર્યો છે જે રૂ. 200,000 થી રૂ. 500,000નો છે. આ રકમ IMPS પર રૂ. 20 ઉપરાંત GST ચૂકવવા પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ  થયો છે.

BOB માં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરાઈ

આ નિયમ ચેક પેમેન્ટ સાથે સંબંધિત છે. બેંક ઓફ બરોડા 1 ફેબ્રુઆરીથી તેના ગ્રાહકો માટે Positive Pay System શરૂ કરી  છે. નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિએ ચેક આપવો હોય તો તે પહેલા ચેક સાથે જોડાયેલી કેટલીક જરૂરી માહિતી બેંકમાં આપવી પડશે. આનાથી બેંક ઓફ બરોડાને વધુ કિંમતો માટે ચેક પાસ કરવામાં સરળતા રહેશે અને બેંકે ગ્રાહકને પુનઃ કન્ફર્મેશન માટે કૉલ કરવો પડશે નહીં.

રૂ. 10 લાખ અથવા તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત રહેશે. અન્યથા તે ચૂકવણી વિના ઇન્ટરસોલને પરત કરવામાં આવશે. ચેક કન્ફર્મેશન માટે ગ્રાહકે 6 આવશ્યક માહિતી પ્રદાન કરવી પડશે. તેમાં ચૂકવણી કરનારનું નામ, ચેકની રકમ, એકાઉન્ટ નંબર, ચેક નંબર, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેકની તારીખ જણાવવી આવશ્યક છે. એકવાર રજિસ્ટર્ડ કન્ફર્મેશન પછી તમે તેને ન તો સુધારી શકો છો કે ન તો ડીલીટ શકો છો.

PNB નો બદલાયો નિયમ

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો આ માહિતી જાણવી જરૂરી છે. જો તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોય તો જ PNB કાર્ડ પર હપ્તા પડાવો. જો ખાતામાં રકમ ન હોય અને હપ્તો લેવામાં આવે તો બેંક રૂ. 250 નો દંડ વસૂલશે. આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ લેવો જોઈએ. એવું ન થાય કે સેવાનો લાભ લેવાના ચક્કરમાં તમને નુકસાન થાય.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">