AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરૂવારથી બે દિવસ બેંક કર્મચારીઓની હડતાળ, જાણો ક્યા કામકાજ પર જોવા મળશે અસર

હડતાલને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને RBL બેંકની કામગીરી પ્રભાવિત થઈ શકે છે.

ગુરૂવારથી બે દિવસ બેંક કર્મચારીઓની હડતાળ, જાણો ક્યા કામકાજ પર જોવા મળશે અસર
Bank employees strike for two days.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:50 PM
Share

જાહેર બેંકોના ખાનગીકરણના (privatization of public banks) વિરોધમાં બેંક યુનિયનોએ (bank unions) 2 દિવસની હડતાળની જાહેરાત કરી છે, જે આવતીકાલથી શરૂ થશે. બેંકોના મેનેજમેન્ટે (management) કર્મચારીઓને હડતાળ પર ન જવાની વિનંતી કરી છે. જો કે એવી આશંકા છે કે આગામી બે દિવસમાં જાહેર ક્ષેત્રની બેંકો (public sector banks)ના કામકાજ પર ગંભીર અસર પડી શકે છે.

ક્યાં કામકાજ પર પડશે અસર

હડતાલને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને RBL બેંકની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. PNBએ સ્ટોક એક્સચેન્જને આપેલા નિવેદનમાં કહ્યું કે બેંકે તેની શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે, પરંતુ હડતાલને કારણે બેંકના કામકાજને અસર થઈ શકે છે. જ્યારે બીજી તરફ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તેમણે હડતાલનો સામનો કરવા માટે તમામ શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજ માટે હાલની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

બેંક યુનિયનો શા માટે હડતાળ પર છે?

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે બેંક યુનિયનો હડતાળ પર છે. હડતાળના કારણ વિશે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણથી અર્થતંત્રના અગ્રતા ક્ષેત્રોને નુકસાન થશે અને સ્વ-સહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્રને ધિરાણના પ્રવાહને પણ અસર થશે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કહ્યું ‘યુએફબીયુના બેનર હેઠળ છેલ્લા 25 વર્ષથી અમે બેંકિંગ સેક્ટરમાં આવા સુધારાનો વિરોધ કરી રહ્યા છીએ, જે જાહેર ક્ષેત્રની બેંકોને નુકસાન પહોંચાડે છે.’ યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ અને બેંક એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેલ છે.

બેંકોનો અનુરોધ, હડતાળ પર ન જાય કર્મચારી

અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અનેક જાહેર ક્ષેત્રની બેંકોએ યુનિયનોને બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. દેશની સૌથી મોટી બેંક SBIએ તેના એક ટ્વીટમાં કર્મચારીઓને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને હડતાળમાં ભાગ લેવાથી દૂર રહેવા વિનંતી કરી છે.

બેંકના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે “અમે બેંક કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને હડતાળથી દૂર રહે. હાલની મહામારીની સ્થિતિને જોતા હડતાળના કારણે હોદ્દેદારોને ઘણી અસુવિધા થશે. આ સિવાય કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકે પણ કર્મચારીઓને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

આ પણ વાંચો : હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">