બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને આપી ભેટ, હવે ફિક્સ ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ

બેંક ઓફ બરોડા તરફથી આ એક ખાસ હોમ લોન ઓફર છે, જેમાં માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો નવી હોમ લોન લઈ રહ્યા છે તેમને દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને આપી ભેટ, હવે ફિક્સ ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 7:27 AM

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં એક ટકા સુધીનો વધારો કર્યો છે. બેંક દ્વારા જાહેર  કરાયેલા એક નિવેદનમાં બેંકે કહ્યું હતું કે 50 કરોડથી વધુ અને 200 કરોડ રૂપિયાથી ઓછાના રિટેલ સેવિંગ એકાઉન્ટ પર પણ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 વર્ષ અને તેથી વધુની ઘરેલું અને બિન-નિવાસી સામાન્ય (NRO) ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે જે અગાઉ 5.10 ટકા હતું.

નવા વ્યાજ દર

આ ઉપરાંત એકથી બે વર્ષ કરતા વધુ સમયની થાપણો પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે. આ દર પહેલા 5.50 ટકા હતો. આ સાથે બેથી ત્રણ વર્ષની FD પર વ્યાજ પણ 0.70 ટકા વધારીને 6.25 ટકા કરવામાં આવ્યું છે. બેંક અનુસાર વરિષ્ઠ નાગરિકોને દરેક શ્રેણી પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે.

તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ રવિવારે હોમ લોન સસ્તી કરી દીધી હતી. ગ્રાહકોને તેમની લોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હોમ લોનના દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પરંતુ આ ડિસ્કાઉન્ટનો લાભ માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ મળી રહ્યો છે. ડિસ્કાઉન્ટ પછી બેંક ઓફ બરોડાની હોમ લોન વાર્ષિક 8.25% થી શરૂ થઈ રહી છે. ઘટાડેલ હોમ લોન રેટ 14 નવેમ્બર, 2022 થી લાગુ થશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બેંક ઓફ બરોડા તરફથી આ એક ખાસ હોમ લોન ઓફર છે, જેમાં માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો નવી હોમ લોન લઈ રહ્યા છે તેમને દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, જે ગ્રાહકો તેમની હોમ લોન બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરશે તેમને પણ 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડાએ અન્ય વધારાની સુવિધા હેઠળ હોમ લોનનો પ્રોસેસિંગ ચાર્જ માફ કર્યો છે.

આ નવી સુવિધામાં બેંક ઓફ બરોડાએ એક વાત સ્પષ્ટ કરી છે કે ગ્રાહકને કેટલી હોમ લોન મળશે, તે સંપૂર્ણપણે તેની ક્રેડિટ પ્રોફાઇલ પર નિર્ભર રહેશે.

બેંકમાં જતાં પહેલા આ વાતનું ધ્યાન રાખજો

જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ. બેંકોમાં રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. કેન્દ્રીય બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે રજાઓની યાદી તૈયાર કરે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે નવેમ્બર 2022માં દેશભરમાં કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે.

  • 20 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)
  • 23 નવેમ્બર 2022 – સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ
  • 26 નવેમ્બર 2022 – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
  • 27 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">