AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને આધાર કાર્ડથી છેતરપિંડીનો શિકાર બનાવનો ભય છે? અજમાવો આ બે ઉપાય તમારું બેંક ખાતું સુરક્ષિત રહેશે

તમારા આધારને દુરુપયોગથી બચાવવા માટે તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલને તેની સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં આધાર વેરિફિકેશન માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPની જરૂર પડશે.

શું તમને આધાર કાર્ડથી છેતરપિંડીનો શિકાર બનાવનો ભય છે? અજમાવો આ બે ઉપાય તમારું બેંક ખાતું સુરક્ષિત રહેશે
Aadhaar Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 6:20 AM
Share

દેશભરમાં દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ (Aadhar Card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ સાથે રેશનકાર્ડ, પાન કાર્ડ અને કેટલાક અન્ય દસ્તાવેજો અને ખાતાઓ સાથે આધાર નંબર લિંક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ આધારના દુરુપયોગની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે. બેંક ખાતાના દુરુપયોગના કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે. સાયબર ક્રિમિનલ લોકોના આધારનો દુરુપયોગ કરીને માત્ર આર્થિક છેતરપિંડી જ કરતા નથી પરંતુ હવે તેઓ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. છેતરપિંડી કરનારાઓની નજર મોટાભાગે વેપાર કરનારાઓ પર હોય છે. આ માટે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દાવો કર્યો છે કે આધાર યુઝરનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. છતાં હજુ પણ કેટલાક લોકોના આધારનો દુરુપયોગ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આધાર યુઝર્સની બેદરકારીને કારણે આમ થાય છે. ડેટા સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે જો આધાર યૂઝર્સ એલર્ટ રહેતાં કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખે તો કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે નહીં. આધારને સુરક્ષિત રાખવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી કોઈ તમારા બેંક ખાતા સાથે છેડછાડ કરી શકે નહિ. લાપરવાહીના કારણે તમારે ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Two Factor Authentication

તમારા આધારને દુરુપયોગથી બચાવવા માટે તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલને તેની સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં આધાર વેરિફિકેશન માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPની જરૂર પડશે. તે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર આવશે. OTP વગર આધારની ચકાસણી કરી શકાતી નથી. આ રીતે આધારનો દુરુપયોગ ટાળી શકાય છે. આ સાથે જો તમારે કોઈને આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂર હોય તો તેને માસ્ક કરેલા આધાર કાર્ડની ફોટોકોપી આપો. માસ્ક કરેલા આધારમાં આખો આધાર નંબર નથી પરંતુ માત્ર છેલ્લા ચાર અંકો છે. આ સાથે આધાર વેરિફિકેશન થાય છે પરંતુ સંપૂર્ણ આધાર નંબર ન દર્શાવવાને કારણે કોઈ તેનો દુરુપયોગ કરી શકશે નહીં.

બાયોમેટ્રિક્સ લોક રાખો

તમે તમારા આધાર બાયોમેટ્રિક્સને લોક કરીને પણ તમારા આધારને સુરક્ષિત રાખી શકો છો. બાયોમેટ્રિક્સ લોકનો અર્થ એ છે કે અંગૂઠા કે આંગળીઓના ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ તમારી ઇચ્છા વિરુદ્ધ કરી શકશે નહીં. તેથી કોઈપણ વ્યક્તિ UIDAI વેબસાઈટ પર જઈને તેનું બાયોમેટ્રિક લોક કરી શકે છે. બાયોમેટ્રિક્સ લૉક થયા પછી પણ OTP આધારિત વેરિફિકેશન ચાલુ રહે છે. બાયોમેટ્રિક્સ પણ અસ્થાયી અથવા કાયમી ધોરણે લૉક કરી શકાય છે. આધાર નંબર વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (VID) માં છુપાયેલ છે અને અસ્થાયી 16-અંકનું વર્ચ્યુઅલ ID બનાવવામાં આવે છે. આમાં ભલે યુઝરનો આધાર નંબર જાહેર કરવામાં ન આવે પરંતુ તેની ઓળખ પ્રમાણિત કરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">