અંબાણી-અદાણી વચ્ચે વિવાદ: રિલાયન્સે 134 અબજનો દાવો કર્યો, અદાણીએ કહ્યું –અમે અમારો દાવો રજુ કરીશું

|

Sep 12, 2022 | 7:26 PM

અદાણી ગ્રુપે 2017માં રિલાયન્સ ઈન્ફ્રા (અગાઉની રિલાયન્સ એનર્જી)નો મુંબઈ પાવર બિઝનેસ રૂ. 18,800 કરોડના સોદામાં હસ્તગત કર્યો હતો. તેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો પણ સમાવેશ થતો હતો.

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ: રિલાયન્સે 134 અબજનો દાવો કર્યો, અદાણીએ કહ્યું –અમે અમારો દાવો રજુ કરીશું
અનિલ અંબાણી-ગૌતમ અદાણી (ફાઇલ ફોટો)

Follow us on

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam adani)અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક અનિલ અંબાણી (Anil ambani)વચ્ચે વિવાદ (Controversy) સર્જાયો છે. વિવાદનું કારણ મુંબઈ પાવર-ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને વેચવાના સોદામાં શરતોનું ઉલ્લંઘન છે. અદાણી ગ્રુપે 2017માં રિલાયન્સ ઈન્ફ્રા (અગાઉની રિલાયન્સ એનર્જી)નો મુંબઈ પાવર બિઝનેસ રૂ. 18,800 કરોડના સોદામાં હસ્તગત કર્યો હતો. તેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો પણ સમાવેશ થતો હતો. તેના દાવામાં રિલાયન્સે ડિસેમ્બર 2017ના કરારની શરતોને પૂર્ણ ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. દરમિયાન, ગૌતમ અદાણી વતી કહેવામાં આવ્યું છે કે “અમે અમારો દાવો દાખવીશું.”

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું કહેવું છે કે તેણે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના ભંગના સંબંધમાં રૂ. 134 બિલિયન ($1.7 બિલિયન)નો આર્બિટ્રેશન દાવો દાખલ કર્યો છે. સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગ અનુસાર, રિલાયન્સે મુંબઇ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સમક્ષ દાવોનું નિવેદન નોંધાવ્યું છે. જોકે તેના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અદાણી જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી જૂથનો ભાગ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (આર-ઈન્ફ્રા)એ ડિસેમ્બર 2021માં શેર પરચેઝ એગ્રીમેન્ટ (એસપીએ) હેઠળના વિવાદ પર આર્બિટ્રેશનની શરૂઆત કરી હતી. 500 કરોડનો દાવો હતો. એટીએલ/અદાણી ઇલેક્ટ્રિસિટીએ આર-ઇન્ફ્રાના દાવાને ફગાવી દીધો હતો. એટીએલ/અદાણી ઇલેક્ટ્રિસિટીએ એમ પણ જણાવ્યું કે આર-ઇન્ફ્રાએ હજુ સુધી SPA હેઠળ AEMLના નોંધપાત્ર દાવાઓનું સમાધાન કર્યું નથી. બિઝનેસ સમાચાર અહીં વાંચો.

Published On - 7:26 pm, Mon, 12 September 22

Next Article